ગાંધીનગરમાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાના નિવાસસ્થાને કોળી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ છે. જસદણ પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાની જીત બાદ ભાજપમાં તેમનું કદ વધ્યું છે. ત્યારે બાવળિયાના વધતા કદનો લાભ મળે અને આગામી ચૂંટણીમાં કોળી સમાજના વધુ મત ભાજપ મળે તે માટે ભાજપે કવાયત શરૂ કરી છે.
બેઠકમાં કોળી સમાજના પડતર પ્રશ્નો મુદે પણ ચર્ચા થઈ છે. સાથે જ લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરવા અંગે પણ ચર્ચા કરાઈ છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ અત્યાર સુધી કોળી મતો માટે પરસોત્તમ સોલંકીને સાથે રાખતુ આવ્યું છે. પરંતુ પરસોત્તમ સોલંકીની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ રાજનીતિમાં સક્રીય નથી. એટલે ભાજપે કુંવરજી બાવળિયાને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવી પ્રધાનપદુ આપી દીધું હતુ.
READ ALSO
- નવી ટેક્સ વ્યવસ્થા વિ જૂની / શું તમે મહિને 1 લાખ રૂપિયા કમાઓ છો? તો તમારા માટે કઈ કર વ્યવસ્થા વધુ સારી છે?
- બજેટમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં છેડાયો સવાલ, કોને વેચવામાં આવશે?; અદાણીને કે અંબાણીને?
- 7 લાખ સુધી ટેક્સ નહિ, તો પછી 3-6 લાખ પર 5% ટેક્સ? દૂર કરો કન્ફ્યુઝન
- રાજકોટ / યાત્રાધામ વીરપુરમાં પોલીસે યોજ્યો લોન કેમ્પ, લોકોને લોન અંગેની માહિતી આપવામાં આવી
- અમેરિકામાં બર્ફિલા તોફાનના કારણે 1800થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી