સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં આજથી ચાની લારી અને પાનના ગલ્લા ત્રણ દિવસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાની લારીઓ અને પાનના ગલ્લાઓ પર થતી ભીડના પગલે નિર્ણય લેવાયો છે. મહાપાલિકા કર્મચારીઓની રજા પણ રદ્દ કરવામાં આવી છે. સુપર સ્પ્રેડર બનતા લોકો સામે અગાઉ પણ પગલાં લેવાઇ ચૂક્યા છે. તકેદારીના ભાગરૂપે મહાપાલિકાએ નિર્ણય લીધો છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા કમિશનર અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન વચ્ચે બેઠક યોજાઇ હતી.

મહાનગરપાલિકા કમિશનર અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન વચ્ચે બેઠક યોજાઇ
જેમાં ખાનગી હોસ્પિટલમાં કોરોના માટે રિઝર્વ બેડની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. કોરોનાના કેસ વધે તો ઓક્સિજન..વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા પૂરતી સંખ્યામાં રાખવા આદેશ અપાયો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ બગડે તો તે પ્રમાણેનું આયોજન કરવા પણ સૂચન કરવામા આવ્યુ છે.

ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ભયાવહ સિૃથતિ

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ભયાવહ સિૃથતિ સર્જાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1515 વ્યક્તિ કોરોનાના સંક્રમણમાં સપડાઇ છે. ગુજરાતમાં કોરોનાએ 1500ની સપાટી વટાવી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1,95,917 થઇ ગયો છે. હાલ 13285 એક્ટિવ કેસ છે જ્યારે 95 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3846 છે. છેલ્લા 24 કલાકની સિૃથતિ પ્રમાણે ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં આવી રહી છે.
READ ALSO
- આંધ્રપ્રદેશમાં સીએમ જગમોહનના કાકાની મર્ડર મિસ્ટ્રી શું ચૂંટણીના પરિણામો બદલી શકશે?
- અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે
- મોટા સમાચાર / કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી માંગ્યા રિપોર્ટ, ખેડૂતોને વળતર મળવાની આશા
- 28 માર્ચના રોજ જોવા મળશે આકાશમાં આ ઘટના, સૂર્ય આથમતી વખતે દુરબીન હોય કે ના હોય તૈયાર રહેજો
- રાજકારણ / મમતા-અખિલેશ જોડાણ મુદ્દે કોંગ્રેસનો અહંકાર, કોંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી!