ચમકી તાવને લઇને બિહારમાં થયેલા 150થી વધુ બાળકોના મોત પર મૌન ધારણ કરીને બેઠેલા સુશીલ મોદીએ મંગળવારે સાંજે મિસ ઇન્ડિયા યુનાઇટેડ કોન્ટિનેંટ્સ 2019ની શ્રેયા શંકર સાથેની મુલાકાતની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી. જેને લઇને સોશિયલ મીડિયા પર તેમની ઝાટકણી કાઢવામાં આવી.
તેમણે ટ્વીટમાં ફોટો પોસ્ટ કરવાની સાથે લખ્યું, 5 દેશ રત્ન માર્ગ સ્થિત કાર્યાલાયમાં મિસ ઇન્ડિયા યુનાઇટેડ કોન્ટિનેંટ્ય 2019નો ખિતાબ જીતનારી બિહારની શ્રેયા શંકરે શિષ્ટાચાર મુલાકાત કરી. તેના પર ટ્વિટર યુઝર્સે તેમની ઝાટકણી કાઢી છે. ધીરૂ રૌતેલા નામના એક યુઝરે લખ્યું કે, ઉપમુખ્યમંત્રી જી તમારા રાજ્ય બિહારમાં ચમકી તાવના કારણે નાના માસૂમ બાળકો મરી રહ્યાં છે અને તમે શિષ્ટાચાર મુલાકાત કરી રહ્યાં છો.
5 देश रत्न मार्ग स्थित कार्यालय में मिस इंडिया यूनाइटेड कॉन्टिनेंट्स 2019 का खिताब जीतने वाली बिहार की श्रेया शंकर ने शिष्टाचार मुलाकात किया। pic.twitter.com/pfql0GCjGR
— Sushil Kumar Modi (@SushilModi) June 25, 2019
શાકિબ નામના એક યુઝરે લખ્યું કે શું તેનાથી બિહારની સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધાર આવશે. જણાવી દઇએ કે પાછલા દિવસોમાં બિહારના મુઝફ્ફરનગર અને તેની આસપાસના જિલ્લાઓમાં 150થી વધુ બાળકો ચમકી તાવના કારણે મોતને ભેટ્યાં છે. જો કે જ્યારે પણ આ મામલે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીને સવાલ કરવામાં આવ્યો તો તેમણે મૌન ધારણ કરી લીધું.
પ્રદીપ ગુપ્તા નામના ટ્વિટર યુઝરે લખ્યું કે, તમારી પાસે બિહારમાં દરરોજ મરતા બાળકો માટે સમય નથી, દુનિયાના બાકી તમામ કામો માટે છે…થોડી શરમ કરો..સની યાદવ નામના વ્યક્તિએ ટવિટ કરીને સુશીલ મોદી પર પ્રહાર કર્યા. તેણે લખ્યું કે મિસ ઇન્ડિયા માટે ટાઇમ છે, પરંતુ મુઝફ્ફરનગરના બિમાર બાળકો અને તેના પરિવારજનો માટે ટાઇમ નથી.
Read Also
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર
- મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ
- સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત
- અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા
- છેલ્લા દસ વર્ષમાં એક પણ ICC ટ્રોફી નથી જીત્યું ભારત : પાકિસ્તાની ખેલાડીએ જણાવ્યું નિષ્ફ્ળતાનું કારણ