અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જે ફલેટમાં રહેતો હતો તે તેના મોત બાદ અઢી વર્ષથી ખાલી જ હતો. જોકે, હવે આખરે આ ફ્લેટને એક પરિવારે ભાડે રાખ્યો હોવાનું જાણવા મળે છે.
બાન્દ્રાના કાર્ટર રોડ પર આવેલા સી ફેસિંગ ફ્લેટમાં સુશાંત ડિસેમ્બર ૨૦૧૯માં રહેવા ગયો હતો. જોકે, જુન ૨૦૧૯માં તેણે આત્મહત્યા કરી લીધી હતી. તે પછી આ ફલેટ ખાલી જ પડયો હતો. રિયલ એસ્ટેટના વર્તુળોમાં તેની કોઈ ઈન્ક્વાયરી પણ થતી ન હતી. ગ્રાહકો આ ફ્લેટની મુલાકાત લેવાનું પણ ટાળતા હતા. સુશાંતના મોત અંગે સર્જાયેલા વિવાદને લીધે તેને ગોઝારી પ્રોપર્ટીનો સિક્કો લાગી ગયો હતો.

જોકે, વિદેશ રહેતા મકાન માલિકે ફલેટ સસ્તામાં વેચી દેવાને બદલે મુકી રાખ્યો હતો. આખરે તેમની પ્રતીક્ષાનો અંત આવી ગયો છે. હવે આ ફોર બેડરુમ ફલેટ એક પરિવાર ભાડે લઈ રહ્યો છે. સુશાંત સાડા ચાર લાખ રુપિયા ભાડું આપતો હતો પરંતુ નવા ભાડૂઆત પાંચ લાખ રુપિયા ભાડું આપશે. છ ભાડાંની રકમ એટલે કે ૩૦ લાખ રુપિયા સિક્યોરિટી ડિપોઝીટ પેટે લેવામાં આવશે.
READ ALSO
- બ્રિટનમાં ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર અવતાર સિંહ ખાંડાની ધરપકડ, ખાલિસ્તાનીઓએ ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો કર્યો હતો પ્રયાસ
- નર્મદા / આયોજન અધિકારીએ કરોડોના કામોનું બારોબાર ‘આયોજન’ કરી નાખ્યું, AAP ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી ફરિયાદ
- આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી
- ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી હળવો વરસાદ થવાની શક્યતા, કેટલાક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર
- સાબરકાંઠા / ઈડર-હિમતનગર હાઈવે રોડ પર યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા મચી ચકચાર