સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ખેડૂતો ખેતરે જતા મજૂરોનું ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અખિયાણા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાઇ હતી. ઘટના સ્થળે જ બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. તો બીજી તરફ 15થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા.
૨ લોકોના મોત અને ૧૫થી વધુ લોકો ઘાયલ

- સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
- ટ્રેક્ટર અને ટ્રક ચાલક ધડાકાભેર અથડાઇ હતી
- ૨ લોકોના મોત અને ૧૫થી વધુ લોકો ઘાયલ
તમામ મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તો અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો હતો. સુરેન્દ્રનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં