સુરતના પાંડેસરા વિસ્તારમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા કરવી પતિને ભારે પડી છે. જેમાં પતિ અને તેના સાળા વચ્ચે વચ્ચે ઝઘડો થતા સાળાએ પોતાના બનેવીને આંખના ભાગે મુક્કો મારતા આંખના ભાગે ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત પતિનું નામ દિનેશભાઇ સંકેતભાઇ છે. આ ઘટના પાંડેસરા વિસ્તારમાં આવેલી આર્વિભાવ સોસાયટીની છે. જોકે, અા કેસમાં પત્નીએ છરી વડે પતિની આંખો ફોડી નાખી હોવાની બાબત પણ બહાર અાવી છે. જોકે, અા કેસમાં પોલીસ તપાસમાં વિગતો બહાર અાવે તેવી સંભાવના છે.
ગત મોડી રાત્રે ઇજાગ્રસ્ત યુવાન સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા વગર નાસી ગયો હતો. ત્યારે પોલીસે યુવકને શોધીને ફરીવાર સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. પત્નીએ આરોપ લગાવ્યો હતો કે પતિ તેના પર અત્યાચાર કરી રહ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
- પત્નીએ ચપ્પુ મારીને પતિની બંને આંખો ફોડી
- પાંડેસરાની આર્વિભાવ સોસાયટીની ઘટના
- પતિ પત્નીની ચારિત્ર્ય પર કરતો હતો શંકા
- પત્નીનો પતિ પર આરોપ
- અત્યાચાર ગુજારતો હતો પતિ
Read Also
- સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર
- સુરતની એથર કંપની બ્લાસ્ટ મામલો: 27 કર્મચારીઓ સારવાર હેઠળ તો 7 કામદારોની નથી મળી રહી ભાળ, કંપનીના શેરમાં 77 ટકાનો ઘટાડો
- સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ
- સુરત/ પુણા ગામમાં DGVCLની બંધ પડેલી હાઈટેન્શન લાઈનનો ટાવર ધરાશાયી થતાં અફડાતફડી મચી
- સુરત/ પાલિકાની ઝીરો દબાણ રૂટ પરથી દબાણ દુર કરવાનું શરૂ, ઝુંબેશ અટકાવવા રાજકારણીઓના ધમપછાડા