GSTV
India News ટોપ સ્ટોરી

Supreme Court: બિલકિસ બાનોના મામલે બનાવાશે સ્પેશિય બેન્ચ, CJI ચંદ્રચૂડે કહ્યું- સાંજે કરશું વિચાર

Supreme Court: સુપ્રીમ કોર્ટ બિલકિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસના ગુનેગારોને છોડવા વિરૂદ્ધ દાખલ અરજીની સુનાવણી માટે એક વિશેષ પીઠ ગઠિત કરવા પર બુધવાર (22 માર્ચ)એ તૈયાર થઈ ગઈ.

મુખ્ય ન્યાયાધીશ ડી વાઈ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ જે બી પારડીવાલાની પીઠે બિલકિસ બાનોની અરજી પર સુનાવણી કરતા તેમના વકીલ શોભા ગુપ્તા મારફતે તેમને આશ્વાસન આપ્યું કે નવી પીઠની રચના કરવામાં આવશે. ગુપ્તાએ મામલે તત્કાલ સુનાવણીનો અનુરોધ કરતા કહ્યું હતું કે નવી પીઠની રચનાની જરૂર છે.

-સામુહિક દુષ્કર્મ કેસને સાંભળશે પાંચ જજોની પીઠ

મુખ્ય ન્યાયાધીશે કહ્યું નવી પીઠની રચના કરવામાં આવશે. અમે આ વિષય પર આજે સાંજે વિચાર કરશું. આ પહેલા 24 જાન્યુઆરીએ ગુજરાત સરકાર દ્વારા સામૂહિક બળાત્કાર મામલે 11 દોષિતોને માફીને પડકારતી બિલકિસ બાનોની અરજી પર એસસીમાં સુનાવણી નહોતી થઈ શકી, કારણ કે બાકી જજ પાંચ ન્યાયાધીશોની બંધારણ પીઠનો ભાગ હોવાના કારણે ઈચ્છા મૃત્યુ (પૈસિવ યૂથેનેશિયા) સાથે જોડાયેલા એક કેસની સુનાવણી કરી રહ્યા હતા.

દોષિતોને છોડવાને પડકારતી અરજી ઉપરાંત, બાનોએ એક અલગ અરજી પણ દાખલ કરી હતી જેમાં એક દોષીની અરજી પર સુપ્રીમ કોર્ટના 13 મે 2022ના આદેશની સમીક્ષાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

-ગયા વર્ષે ગુનેગારોને છોડાયા હતા

બિલકિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસના તમામ 11 ગુનેગારોને ગયા વર્ષે 15 ઓગસ્ટે છોડવામાં આવ્યા હતા. તેઓ ગોધરા સબ-જેલમાં બંધ હતા અને 15 વર્ષ કરતા વધારે સમયથી જેલમાં હતા. ગુજરાતમાં 2002માં થયેલા દંગા દરમિયાન બિલકિસ બાનોના પરિવારના સાત સભ્ય પણ મૃત્યુ પામ્યા હતા.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV