તામિલનાડુની રાજ્ય સરકાર સ્કૂલોમાં ભણાવાતા સિલેબસમાં પચાસ ટકા ઘટાડો કરવાનો નિર્ણય કરી રહી હોવાના અહેવાલ વહેતા થયા હતા. આના પગલે પરીક્ષાઓન સમય પત્રકને પણ અસર થવાની શક્યતા હતી. SSC અને HSE ના અભ્યાસક્રમને ઘટાડવા રાજ્ય સરકારે 18 શિક્ષણવિદોની એક સમિતિ બનાવી હતી. આ સમિતિ હાલ રાજ્ય સરકારના નિર્ણય વિશે વિચારણા કરી રહી હતી. આ સમિતિ ગ્રીનસિગ્નલ આપે એટલે નિર્ણયનો અમલ થશે.

અભ્યાસક્રમમાં ચાલીસથી પચાસ ટકા ઘટાડો કરાશે
લેટેસ્ટ રિપોર્ટ મુજબ અભ્યાસક્રમમાં ચાલીસથી પચાસ ટકા ઘટાડો કરાશે. આ નિર્ણયની ઔપચારિક જાહેરાત પાંચમી ડિસેંબર સુધીમાં થવાની ધારણા છે. 2021માં થનારી વાર્ષિક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો હોવાનો દાવો રાજ્યના શિક્ષણ પ્રધાને કર્યો હતો.

પચાસ ટકા અભ્યાસક્રમના પરિણામને સરખાવીને આગળ વધવાની યોજના
તેમણે કહ્યું હતું કે કોરોનાના ચેપને કારણે લાંબા સમયથી સ્કૂલો બંધ હતી. એ સંજોગોમાં આખા વર્ષના અભ્યાસક્રમને પૂરો કરવાનું શક્ય રહ્યું નહોતું. વિદ્યાર્થીઓની આગલાં વરસોની પ્રગતિને આધારે પચાસ ટકા અભ્યાસક્રમના પરિણામને સરખાવીને આગળ વધવાની યોજના હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સરકાર કાલે રજુ કરશે 125 રૂપિયાનો સિક્કો, જાણો કેવો દેખાશે અને શું છે કારણ…
- તમારા કામનું/ 1 ફેબ્રુઆરીથી જનતાને મળશે રાશનની હોમ ડિલીવરી, શરૂ થઇ આ ખાસ સુવિધા
- આનંદો/ ખુલ્લા મેદાનમાં યોજાતા લગ્ન પ્રંસગમાં બહોળી સંખ્યામાં મહેમાનને કરી શકશો આમંત્રિત, રૂપાણી સરકારની મોટી જાહેરાત
- રોકાણ માટે NSC છે એક સારો વિકલ્પ, સારા રિટર્ન અને ટેક્સની બચતની સાથે મળે છે ઘણા ફાયદાઓ
- બેન્કના લોકરમાં રૂપિયા રાખતા હો તો આ વીડિયો જોઈ લેજો, ખાતેદારે લોકર કર્યુ ઓપન તો તે પણ ચોંકી ઉઠયો!