ઘરમાં ઇન્ડોર છોડ લગાવવાથી તમારા ઘરની સુંદરતા તો વધે જ છે પરંતુ આ છોડમાં રહેલા ઔષધીય ગુણો પણ તમને લાભ આપે છે. નિષ્ણાંતોના મતે, જો તમને ઇન્ડોર છોડ લગાવવાનું પસંદ છે, તો ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ ચોક્કસ લગાવો. આનાથી તમને ઘણા ફાયદા થશે.

હવાને શુદ્ધ કરે-
સ્પાઈડર પ્લાન્ટ ઘરમાં રાખવાથી હવા શુદ્ધ થાય છે. ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ લગાવવાથી હવામાં રહેલા હાનિકારક રસાયણો જેમ કે ટોલ્યુએન, કાર્બન મોનોક્સાઇડ, ઝાયલીન, ફોર્માલ્ડીહાઈડ દૂર કરવામાં મદદ મળે છે.
ઓક્સિજનનું સ્તર વધશે-
ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ રાખવાથી ઘરની અંદર ઓક્સિજનનું સ્તર વધે છે. શ્વસન સંબંધી રોગોના દર્દીઓ માટે ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ રાખવો ફાયદાકારક રહેશે.
મળશે ઔષધીય ગુણોનો ફાયદો-
જો તમે વારંવાર તણાવમાં રહો છો, તો ચોક્કસથી ઘરમાં એક સાઇટ પ્લાન્ટ લગાવો. સ્પાઈડર પ્લાન્ટ તમારા મૂડને વધારવામાં મદદરૂપ છે. ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ રાખવાથી મૂડ સારો રહેશે. તે કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે, જે તણાવ સાથે સંકળાયેલ હોર્મોન છે. ઔષધીય ગુણો ધરાવતો સ્પાઈડર પ્લાન્ટ તણાવ અને હતાશાને દૂર કરવામાં મદદરૂપ છે.
રિકવરીમાં મદદગાર-
સ્પાઈડર પ્લાન્ટને ઘરની અંદર રાખવાથી ઝડપી પુનઃપ્રાપ્તિમાં પણ મદદ મળશે. એવું માનવામાં આવે છે કે સ્પાઈડર પ્લાન્ટને દર્દીના રૂમમાં રાખવાથી બ્લડ પ્રેશર, હૃદય રોગ અને તણાવની સ્થિતિમાં ફાયદો થાય છે.
સ્પાઈડર પ્લાન્ટમાં કોઈ હાનિકારક ઝેર નથી હોતું, તેથી જો તમારા ઘરમાં પાળતુ પ્રાણી હોય તો પણ તમે તેને લગાવી શકો છો. તે ઉચ્ચ ઓક્સિજન ક્ષમતા ધરાવે છે, જે પાલતુ પ્રાણીઓને પણ લાભ આપે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- સરકાર ક્યારે સાંભળશે? છેલ્લા 72 કલાકથી આમરણાંત ઉપવાસ પર વેટરનરી તબીબો, કેટલાકની તબિયત લથડી
- નીતિશ કુમારના પગલાથી શિવસેના ખુશ, ભાજપ વિરુદ્ધ સર્જાયુ તોફાન
- કોલસાની દાણચોરી કેસ / બંગાળના 8 IPS અધિકારીઓને ઈડીએ સમન્સ પાઠવ્યું, દિલ્હીનું તેડું
- નીતિશના નિર્ણયથી શિવસેના ખુશ / ભાજપ માટે તોફાન સર્જયુ, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ફેરવાઈ જશે ચક્રવાતમાં
- બીગ ન્યૂઝ / 88 મામલતદારની બદલી, 51 નાયબ મામલતદારને સરકારે આપી મોટી ભેટ