ઉત્તર પ્રદેશના ગોરખપુર જઈ રહેલા સ્પાઈસ જેટ પ્લેનની બારીમાં તિરાડ પડવાની માહિતી મળતાં તેને મુંબઈ પરત લઈ જવામાં આવ્યું. સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. એરલાઈનના પ્રવક્તાએ જણાવ્યું, “28 મેના રોજ, સ્પાઈસ જેટનું બોઈંગ 737 એરક્રાફ્ટ મુંબઈથી ગોરખપુર માટે ઉડાન ભરવાનું હતું. ઉડાન દરમિયાન વિમાનની બારીમાં તિરાડ જોવા મળી હતી,”

પ્રવક્તાએ કહ્યું કે પાયલટે વિમાનને મુંબઈ પરત લઈ જવાનું નક્કી કર્યું. આ અંગે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરવામાં આવી હતી અને પ્લેન મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું.
જોકે, પ્રવક્તાએ એ નથી જણાવ્યું કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. તમને જણાવી દઈએ કે સ્પાઈસજેટ 25 મેથી ચર્ચામાં છે, કારણ કે તે દિવસે રેન્સમવેર એટેકના કારણે વિમાનના સંચાલનમાં સમસ્યા આવી હતી. મંગળવારે રાત્રે મુસાફરોએ એરપોર્ટ પર રાત વિતાવવી પડી હતી અને બુધવારે સવારે લોકો ટેકઓફ કરી શક્યા હતા. જેના કારણે વિમાનની અવરજવરમાં મુશ્કેલી પડી હતી.
સ્પાઇસજેટ લિમિટેડને રેન્સમવેર હુમલાને કારણે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્પાઈસજેટે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેની આઈટી સિસ્ટમ પર રેન્સમવેર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે ઓડિટ પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ શકી નથી.
Read Also
- સામે આવી ઉડવાવાળી હોટેલની ડિઝાઈન, લેન્ડ કર્યા વિના મહિના સુધી હવામાં ભરશે ઉડાન! આ પ્રકારની હશે સુવિધા
- Startup Worldમાં પ્રથમવાર ભારતના આ પાંચ શહેરોનો સમાવેશ, ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે દિલ્હી-મુંબઈથી પણ આ સીટી આગળ
- વાસ્તુ ટિપ્સ/ કંગાળ કરી નાંખે છે ઘરમાં મુકેલી આ 5 વસ્તુઓ, આજે જ કાઢીને ફેંકી દો બહાર
- વજન ઘટાડી પાતળી કમરના માલિક બનવું હોય તો આ શાકભાજી ખાવાનું ચાલુ કરી દો, બસ જાણી લો ખાવાનો યોગ્ય પ્રકાર
- એકબીજા પર બોજ બન્યા વિના તમારા સંબંધને બનાવો મજબૂત, ઇન્ટરડિપેન્ડેન્ટ રિલેશનશિપ માટે ફોલો કરો આ 5 ટિપ્સ