જો તમે ખગોળશાસ્ત્રમાં રુચી ધરાવતા હોય, અંતરિક્ષ, ગ્રહો અને તારો વિશે જાણવા માંગતા હોવ તો આ તમારા માટે ખાસ શાનદાર મોકો છે. તમને આકાશમાં એક દુર્લભ ચમત્કાર જોવા મળશે. 28 માર્ચના રોજ સૌરમંડળમાં પાંચ ગ્રહ એક સાથે બિલકુલ સાથે જોવા મળશે. જેને તમે આખી રાત પૃથ્વી પરથી સરળતાથી જોઈ શકાશે. અવકાશ શાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને યુરેનસ 50 ડિગ્રી સાથે એક નાનકડા વિસ્તારમાં દેખાશે. આવો જાણીએ આ ઘટનાને ક્યારે અને કેવી રીતે જોવા મળશે.

28 માર્ચના રોજ સુર્ય આથમતી વખતે દુરબીન હોય કે ના હોય તૈયાર રહેજો
આકાશમાં આ દુર્લભ ઘટનાને જોવા માટે 28 માર્ચના રોજ સુર્ય આથમતાની સાથે દુરબીન સાથે તૈયાર રહેજો. આ પાંચ તારા ગ્રહોમાં શુક્ર સૌથી વધારે ચમકતો દેખાવાની સંભાવના છે. બુધ અને ગુરુને ક્ષિતિજ પાસે જોવા મળશે. જો કે યુરેનસને સ્પોટ કરવો થોડો કઠીન થઈ શકે છે. મંગળ અને ચંદ્ર બહુ જ નજીક જોવા મળશે. એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના બેથ બિલરના મેલઓનલાઈને જણાવ્યુ કે કેટલાક ગ્રહો બીજાની તુલનામાં વધારે જોવા મળશે. શુક્ર અને ગુરુ બન્ને ગ્રહો વધારે ચમકતા દેખાશે. એટલે તમે તેને આસાનીથી શોધી શકશો. તમે છેલ્લા કેટલાક અઠવાડિયામાં એક સાથે જોયા હશે.
દુરબીન વગર પણ જોઈ શકાશે આ ઘટના
આમ તો પાંચેય ગ્રહો બિલકુલ સીધી રેખામાં જોઈ શકતા નથી. પરંતુ જ્યારે પૃથ્વી પરથી જોવામાં આવે તો લગભગ એક ચાપના આકારમાં ચંદ્ર સાથે વિશેષ રીતે જોઈ શકશો અને આ સાથે એક સારા સમાચાર એ છે કે ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે આ ગ્રહોને કોઈ વિશેષ ઉપકરણોની મદદ વગર પણ જોઈ શકશો. પરંતુ યુરેનસને જોવા માટે દુરબીનની અવશ્ય જરુર પડશે.
હજુ પણ બીજો મોકો મળશે
28 માર્ચના રોજ થનારી આ ખગોળકીય ઘટનાને ગ્રેટ પ્લેનેટરી એલાઈનમેન્ટના તરીકે ઓળખવામાં આવે છે. 5 થી6 ગ્રહ એક જ સમયમાં સુર્ય તરફની બીજુમાં હોય છે. આ રીતની છેલ્લી ઘટના જુન 2022મા થઈ હતી. જ્યા આ પાંચ ગ્રહ બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ એક સાથે જોવા મળ્યા હતા. અને આગામી 11 એપ્રિલના રોજ બુધ, શુક્ર,મંગળ સાથે જોવા મળશે, તો ફરી 24 એપ્રિલના રોજ બુધ, યુરેનસ, શુક્ર અને મંગળ એક સાથે જોવા મળશે. તો 29મે ના રોજ યુરોનસ, બુધ, ગુરુ અને શનિ જોવા મળશે. અને 17 જૂન 2023માં બુધ, યુરેનસ, ગુરુ, નેપચ્યુન અને શનિ એક સાથે જોવા મળશે. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટના નિહાળવા માટે ઘણા ઉત્સુક છે.
READ ALSO…
- અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે
- વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી
- પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ