જામનગર બેઠક પર ભાજપે ફરી વાર માડમ પરિવારને મેદાને ઉતાર્યા છે. તો સામે કોંગ્રેસમાં મુળુભાઇને ટીકિટ આપી છે. જામનગર બેઠકમાં આ વખતે પણ બે આહિર ઉમેદવારો વચ્ચે જંગ જામવાનો છે. પૂનમ માડમને અહી ભાજપે રીપિટ કર્યા છે. તો કોંગ્રેસે મુળુભાઇને પહેલીવાર મેદાને ઉતાર્યા છે. માડમ પરિવારનો આ બેઠક પર દબદબો છે તો મુળુભાઇ કંડોરિયા દેવભૂમિ દ્વારકાના દિગ્ગજ છે.
આ બેઠક પર ભાજપના પ્લસ પોઇન્ટની વાત કરીએ તો જામનગર બેઠક માટે સંસદમાં પૂનમબહેન સૌથી સક્રિય રહ્યા છે. તેમણે ૩પ૩ જેટલા સવાલો કર્યા છે. જામનગરમાં કોંગ્રેસ છોડીને આવેલા હકુભા. રાઘવજીની મતબેંકનો ફાયદો મળી શકે તેમ છે. અગાઉ ૧૯૮૯થી ૧૯૯૯ સુધી સતત પાંચ વાર આ બેઠક ભાજપ જીતી ચૂકી છે. તો માઇનસ પોઇન્ટની વાત કરીએ તો ખેડૂતોમાં ભાજપની કામગીરી સામે રોષ છે.
પાક વીમાને લઇને પણ અહી આંદોલનો થઇ ચૂક્યા છે. કોંગ્રેસના પ્લસ પોઇન્ટની વાત કરીએ તો વિધાનસભામાં કોંગ્રેસે અહી ભાજપને ચમકારો બતાવી દીધો હતો. ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ આંદોલનમાં સાથ આપી ચૂકી છે. જમીન માપણીના આંદોલનને પણ કોંગ્રેસ માટે આશા જન્માવી છે. તો માઇનસ પોઇન્ટની વાત કરીએ તો અહી પણ કોંગ્રેસને જૂથબંધી નડી શકે છે. પાટીદાર આંદોલનની અસર ઓછી થઇ ચૂકી છે. કોંગ્રેસ પાસે આ વિસ્તારનો મોટો પાટીદાર નેતા નથી. આમ જામનગરમાં આ વખતે માડમ પરિવાર વચ્ચે જંગ નથી. પરંતુ જ્ઞાતિની રીતે એક જ આહીર ઉમેદવારો વચ્ચેની જંગ રોમાંચકતા જરૂર લાવશે તે નક્કી છે.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ