વહીવટીતંત્રની સંવેદનશીલતા તેના કર્મયોગીઓ પર નિર્ભર છે. જો અધિકારી-કર્મચારી સંવેદનશીલતા સાથે કામ કરશે તો નાનામાં નાના માણસની પણ સમસ્યાઓ તે સારી રીતે સમજી અને ઉકેલી શકશે. આજે દાહોદના આરોગ્ય વિભાગના કર્મયોગીઓની સંવેદનાની વાત કરવાની છે. દેવગઢ બારીયાના ગુના પીએચસીના ડો. પરેશ શર્મા. વ્યવસાયે ડોકટર એટલે તબીયતની યોગ્ય સાર-સંભાળ રાખવા નિયમિત સવારે ચાલવા જાય. સવાર-સવારમાં કેટલાક સ્થાનિક બાળકો પણ રસ્તામાં તેમને સાથ આપે.

તેમના રોજિંદા ક્રમમાં તેમનું ધ્યાન એક આઠેક વર્ષની બાળકી પર ગયું. તેની હાલત ખુબ જ દયનિય હતી. તેમના કપડા ફાટેલાં અને ગંદા હતા. શરીર પણ કુપોષિત હતુ અને પગમાં ચંપલ પણ નહીં. હા, પણ ચહેરા પર માસૂમિયત ઝલકતી હતી. આ દીકરીની આવી દયનીય હાલત જોઈને ડો. શર્માએ પૂછપરછ કરી. આ છોકરીનું નામ સોનલ હતું. તે ભણવા માટે શાળામાં પણ જતી નહોતી. તેના ખાવાપીવાનું પણ કંઈ નક્કી નહોતુ. ડોકટર શર્માએ પીએચસીના નિશાબેનને તેમના ઘરે મોકલી વધુ માહિતી મેળવી. આ દીકરીના માવતર પણ ખુબ જ ગરીબ હતા.

ડો. શર્માએ તાત્કાલિક સોનલને દત્તક લેવાનો નિર્ધાર કર્યો. તે સોનલને આરોગ્ય કેન્દ્ર પર લેતા આવ્યા. અહીંના કર્મચારીઓ પણ સોનલની સેવાચાકરીમાં લાગી ગયા. નિશાબેને સોનલને નવડાવી-સ્વચ્છ કરી. માથામાં તેલ નાખીને માથું ઓળી આપ્યું. સોનલ માટે નવા કપડાની ત્રણ ચાર જોડી લાવી દેવાઈ. નવા પગરખા પણ આવી ગયા. હવે ડોકટર શર્માએ તેમના માવતરને મળીને સોનલને શાળામાં પ્રવેશ માટે પણ સમજાવ્યા છે. એક-બે દિવસમાં સોનલ હવે શાળાએ ભણવા જશે. ડો. શર્મા ગાયનેકોલોજિસ્ટ છે પણ તે અને આરોગ્ય તંત્રના કર્મચારીઓ સોનલની ખરી માતા બન્યા છે.
Read Also
- દર્શકો માટે આનંદો/ હેરાફેરી 3માં લોકોની મનપસંદ એ જ ત્રિપુટી જોવા મળશે, બાબુભૈયાનો જોવા મળશે એ જ જૂનો અંદાજ
- બોલિવુડ/ સ્વરા ભાસ્કરે રણવીર શૌરીને ટ્વિટર પર કર્યું બ્લોક, અભિનેતાએ શેર કરી આ ફની મીમ
- પાખંડી પાકિસ્તાનની પોલ ખુલી: 26/11 હુમલાનો માસ્ટર માઈન્ડ સાજીદ મીર જીવિત, ગણાવ્યો હતો મૃત
- ગુજરાત રમખાણોને રાજનીતિક ચશ્મા પહેરીને જોવાયા, ભગવાન શંકરની જેમ 19 વર્ષ સુધી ‘વિષપાન’ કરતાં રહ્યાં પીએમ મોદી : અમિત શાહ
- છૂટાછેટા પછી પુખ્ત પુત્રી પણ ભરણપોષણની હકદાર! પિતાએ ઉઠાવવો પડશે ભણતરનો ખર્ચ, કોર્ટે આપ્યો કડક આદેશ