GSTV
Finance Trending

40 વર્ષથી ઉપરનાં લોકો પણ બની શકે છે કરોડપતિ, 9000 રૂપિયાથી આ રીતે થશે રોકાણ

કહેવાય છે કે પૈસા કમાવાની કોઈ ઉંમર હોતી નથી, તો પછી પૈસા બચાવવામાં ઉંમરની સીમા કેમ હોય. ખાસ કરીને 40 કે તેથી વધુ ઉંમરના લોકોને લાગે છે કે જો આપણે હજી પૈસા બચાવ્યા નથી, તો હવે શું થશે. હવે આપણું કરોડપતિ બનવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકતું નથી. પરંતુ એવું શક્ય છે કે 40 વર્ષના લોકો પણ પોતાના ખૂબ ઓછા પૈસા બચાવીને અને યોગ્ય વ્યૂહરચના દ્વારા કરોડપતિ બની શકે છે. તે જરૂરી છે તે એક યોગ્ય વ્યૂહરચના અને શિસ્ત હોવી જોઈએ. તો ચાલો જાણીએ આ યોજના કેવી રીતે શક્ય હશે

SIP સાથે કંઈપણ શક્ય

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી દ્વારા તમે કરોડપતિ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ માટે કોઈ વયમર્યાદા હોતી નથી, પછી ભલે તમે 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના હો, તો પણ તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરીને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ્સમાં દર મહિને એસઆઈપી દ્વારા રોકાણ કરવું પડશે.

આટલું રોકાણ કરવું પડશે

ધારો કે તમારી ઉમર 41 વર્ષની છે અને હવે તમે એસઆઈપીમાં રોકાણ કરવાનું વિચાર્યું છે અને તમે નિવૃત્તિ પહેલાં કરોડપતિ બનવા માંગો છો, તો તમારે દર મહિને આશરે 9000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. મ્યુચ્યુઅલ ફંડમાં, 11 થી 15 ટકા વળતર સરળતાથી મળી રહે છે. તો આ વળતર મુજબ તમારી નિવૃત્તિની વય સુધી તમારી પાસે 2 કરોડની રકમ હશે.

આ રીતે સમજો ગણિત

મ્યુચ્યુઅલ ફંડ્સમાં સામાન્ય રીતે લગભગ 15 ટકાનું વળતર તો મળે જ છે, પરંતુ કેટલાક ફંડ્સમાં 20 ટકા સુધીનું રિટર્ન મળી જાય છે. તમે 20 વર્ષ માટે રોકાણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન, જો તમને વાર્ષિક 20 ટકાથી વધુનું સીએજીઆર રીટર્ન મળે, તો આવી સ્થિતિમાં, દર મહિને તમારા ભંડોળમાં 10 હજાર રૂપિયાનું રોકાણ 2 કરોડ રૂપિયા થઈ જશે.

READ ALSO

READ ALSO

Related posts

ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ

Rajat Sultan

સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ

Hardik Hingu

લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર 

Rajat Sultan
GSTV