GSTV
Entertainment Television Trending

શીઝાન અને તેની ગુપ્ત પ્રેમિકા વચ્ચે દોઢ કલાક વાતચીત થઈ હતી, જેને લઇ તુનીષા ગુસ્સે થઈ હતી

સહ-અભિનેત્રી તુનીષા શર્માની આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરાયેલા અભિનેતા શીઝાન ખાને બુધવારે કોર્ટમાં જણાવ્યું હતું કે તુનીષાના મૃત્યુના દિવસે શીઝાન અને તેની ગુપ્ત પ્રેમિકા વચ્ચે દોઢ કલાકની વાતચીત થઈ હતી જેના અંગે તુનીષા ગુસ્સે થઈ હતી. પોલીસે કોર્ટને એમ પણ કહ્યું કે તુનીશાના વર્તનમાં ઘણા ફેરફારો થયા હતાં, તેણીએ હિજાબ પહેરવાનું શરૂ કર્યું હતું અને તેથી જ પોલીસે દરેક એંગલથી તપાસ કરવાની જરૂર છે.

આ સિવાય પોલીસે કોર્ટને કહ્યું કે, શીજનની વોટ્સએપ ચેટ પણ ડિલીટ કરી દેવામાં આવી છે, જેને પાછી મેળવવી પડશે. પોલીસે જણાવ્યું કે જે દિવસે તુનીશાએ આત્મહત્યા કરી તે દિવસે શીજાન અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી, જે ગુમ છે અને હવે તે ચેટ પાછી મેળવવી પડશે. આ તમામ બાબતો રજૂ કરતાં પોલીસે શીજાનની વધુ 2 દિવસની કસ્ટડી માંગી હતી, જે કોર્ટે સ્વીકારી હતી.

શીઝાન ખાન પર તુનીષાની આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ છે

પોલીસના જણાવ્યા અનુસાર, 21 વર્ષની અભિનેત્રી તુનીષાએ શનિવારે પાલઘરના વસઈ વિસ્તારમાં એક સિરિયલના સેટ પર વોશરૂમમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. તુનીષાની માતા તરફથી મળેલી ફરિયાદના આધારે, વાલિવ પોલીસે તુનીષાના સહ અભિનેતા શીજાન ખાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) હેઠળ કેસ નોંધ્યો હતો અને રવિવારે તેની ધરપકડ કરી હતી.

‘તુનીષા શર્માનું આરોપી શીઝાન ખાન સાથે ત્રણ મહિનાથી અફેર હતું’

વસઈના પોલીસ અધિકારીએ સોમવારે કહ્યું હતું કે ધરપકડ કરાયેલા અભિનેતા શીઝાન ખાને તપાસકર્તાઓને કહ્યું હતું કે તેનો અને તુનીશા વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ તે લાંબો સમય ચાલ્યો નહીં અને ત્રણ મહિનામાં સમાપ્ત થઈ ગયો. અધિકારીએ કહ્યું, “ખાને પોલીસને કહ્યું કે તે અને શર્માનો પ્રેમ સંબંધ હતો જે ટકી રહેવાની અસમર્થતાને કારણે ત્રણ મહિનામાં સમાપ્ત થઈ ગયો. ખાને અમને જણાવ્યું કે બંને વચ્ચે ઉંમરનું અંતર હતું, કારણ કે ખાનની ઉંમર 27 વર્ષની હતી અને તુનીશા 21 વર્ષની હતી. તેણે કહ્યું હતું કે તેમના સંબંધોનો અંત આવી ગયો હોવા છતાં બંને વચ્ચે સારા સંબંધ હતા અને વાત પણ થતી હતી.

READ ALSO

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV