GSTV
India News ટોપ સ્ટોરી

BIG BREAKING: શીખ મુસાફરો આનંદો, સરકારે કર્યો મહત્વનો નિર્ણય હવે કિરપાન સાથે કરી શકાશે ફ્લાઈટમાં મુસાફરી

કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સૌથી મહત્વનો નિર્ણય કર્યો છે. મંત્રાલયે હવાઈ મુસાફરીમાં શીખ મુસાફરોને મોટી રાહત આપી છે. શીખ મુસાફરો કિરપાન સાથે મુસાફરી કરી શકશે. આ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કિરપાનના બ્લેડની લંબાઈ 15.24 સેમીથી વધુ ન હોવી જોઈએ અને કિરપાનની કુલ લંબાઈ 22.86 સેમીથી વધુ ન હોવી જોઈએ. મંત્રાલયે કહ્યું છે કે શીખ મુસાફરોને માત્ર સ્થાનિક ટર્મિનલથી સંચાલિત ભારતીય વિમાનમાં મુસાફરી કરવાની આ પરવાનગી મળી છે.

થોડાક દિવસો પહેલા, શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ હરજિન્દર સિંહ ધામીએ ભારતના એરપોર્ટ પર કામ કરતા શીખ કર્મચારીઓને કિરપાન પહેરવા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયની સખ્ત નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા તાજેતરમાં જારી કરાયેલા નોટિફિકેશનમાં શીખ કર્મચારીઓને એરપોર્ટની અંદર કિરપાન પહેરવાથી રોકવામાં આવ્યા છે, જે શીખ સપ્રદાયની સાથે ધક્કેશાહી છે.

એર

સરકારના નિર્ણયની સખ્ત નિંદા થઈ હતી

એડવોકેટ ધામીએ શીખ યાત્રિકો દ્વારા કિરપાનના ઉપયોગ પર પ્રતિબંધના નિર્ણય અંગે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રીને પત્ર પણ મોકલ્યો હતો. આ પત્રમાં સરકારના નોટિફિકેશનને સખ્ત શબ્દોમાં વખોડીને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ. તેમણે કહ્યું કે આ તેમના જ દેશમાં શીખોની ધાર્મિક સ્વતંત્રતા પર મોટો હુમલો છે, તેને કોઈપણ કિંમતે લાગુ થવા દેવામાં આવશે નહીં.

READ ALSO

Related posts

Earthquake: ભયાનક ભૂંકપથી પાકિસ્તાનમાં 9 લોકોના કરૂણ મોત, 180 ઘાયલ! અફઘાનિસ્તામાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ

pratikshah

રાજકોટ પોલીસે બે અલગ અલગ વિસ્તારોમાં જુગાર અને ક્રિકેટના સટ્ટા રમતા લોકો પર દરોડા પાડીને મુદ્દામાલ સાથે મહિલાઓનો ઝડપી

pratikshah

BIG NEWS: દિલ્હીમાં PM મોદીના વિરોધમાં ‘Poster War’ પોલીસે દાખલ કરી 44 FIR

pratikshah
GSTV