ઈઝરાયયલની રાજધાની જેરુસલેમ નજીકના યહૂદી મંદિરમાં શુક્રવારે થયેલા ગોળીબારમાં 7 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 10 લોકો ઘવાયાની માહિતી મળી છે. એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો. જોકે હુમલાખોરને ઠાર મરાયો હતો. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી. ઈઝરાયલે તેને આતંકી હુમલો ગણાવ્યો હતો.

ઘાયલોમાં એક 70 વર્ષીય મહિલા પણ સામેલ
શરૂઆતમાં ઈઝરાયયલની એમ્બ્યુલન્સ સેવાએ મૃતકોની સંખ્યા 5 જણાવી હતી અને કહ્યું હતું કે 5 લોકો ઘવાયા છે પણ પછીથી આંકડો વધતો ગયો હતો. ગોળીબાર પછી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં એક 70 વર્ષીય મહિલા પણ સામેલ હતી. ઘાયલોની સ્થિતિ નાજુક જણાવાઈ રહી છે.
Police Spokesperson
— Israel Foreign Ministry (@IsraelMFA) January 27, 2023
Terror attack in a synagogue in #Jerusalem
7 innocent civilians were slaughtered in the attack and multiple victims in various conditions, 3 of theme in severe condition .
Statement by Master Sergeant Dean Elsdunne, International Spokesman 🇮🇱 Police pic.twitter.com/iZ4MeUckpI
અમેરિકાએ આ હુમલાની ટીકા કરી
ઈઝરાયલની પોલીસે તેને આતંકી હુમલો ગણાવતા કહ્યું કે આ હુમલો પૂર્વ જેરુસલેમના કબજાવાળા યહૂદી ક્ષેત્રના નેવ યોકોવમાં થયો હતો. ગાઝામાં હમાસના પ્રવક્તા હજેમ કાસિમે કહ્યું કે આ ઓપરેશન જેનિનમાં કબજાનો જવાબ છે. આ હુમલાની પેલેસ્ટિની ઈસ્લામિક જેહાદીઓએ પ્રશંસા કરી હતી પણ હુમલાનો દાવો નથી કર્યો જ્યારે અમેરિકાએ આ હુમલાની ટીકા કરી હતી.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ