એક બાજુ અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીના શેરોનો કચ્ચરઘાણ નિકળ્યો ગયો છે જેના પગલે ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો કડાકો બોલી ગયો છે જોકે, આજે શેરબજારમાં અદાણીના શાનદાર તેજી જોવા મળી હતી તેમ છતાં ભારતીય માર્કેટ સતત આઠમાં દિવસે લાલ નિશાને બંધ થયું છે જેના પગલે રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. મંગળવારે સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે જેના પગલે સેન્સેક્સ 59,000ની અંદર સરકી ગયો છે જ્યારે નિફ્ટીમાં સામાન્ય પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

આજે બજાર બંધ થયા ત્યાં સુધીમાં 326 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 58,962 પોઈન્ટની સપાટીએ પહોંચી ગયો છે જ્યારે નિફ્ટી 89 પોઈન્ટના ઘટાડા સાથે 17,303 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આજે આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી બેન્કિંગ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો લાલ નિશાને બંધ થયા છે જ્યારે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મીડિયા જેવા સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી.
રોકાણકારોને નુકસાન
આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને પણ નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂપિયા 257.80 લાખ કરોડ થઈ ગયું છે જે સોમવારે રૂ. 258 લાખ કરોડ હતું. એટલે કે, આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપમાં રૂ. 20,000 કરોડનો ઘટાડો થયો છે.
READ ALSO
- ‘ભારત અંધશ્રદ્ધા તરફ આગળ વધી રહ્યું છે’: ઈસરોનું ‘વેદમાંથી મેળવેલા વિજ્ઞાન’ નિવેદન પર ગુસ્સે ભરાયા નસીરુદ્દીન શાહ
- ‘રાષ્ટ્રગીત માટે મંચ પર ન રોકાયા કેજરીવાલ’, કપિલ મિશ્રાના આરોપ પર દિલ્હી સરકારે કરી સ્પષ્ટતા
- વિશ્વ પર્યાવરણ દિવસ / લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે ઇકો ફ્રેન્ડલી ટ્રાવેલ ડેસ્ટિનેશન
- 90 કરોડનો ખર્ચ અને મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન, બ્રિજની સેફ્ટીવોલનો 30 કિલોનો માચડો મોતની લટકતી તલવારની જેમ રાજકોટવાસીઓ માથે…..
- દેશના સર્વિસ સેક્ટરમાં થોડી મંદી, મેનો સર્વિસ PMI ઘટીને 61.2 થયો