જમ્મુ કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકવાદી વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો. હંદવાડાના ક્રાલગુંડ ગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાની સાથે પોલીસ અને સેનાએ અહીં ઓપરેશન 60 શરૂ કર્યુ. આતંકવાદીઓ સાથેની અથડામણના પગલે અહીં ઈન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી. ત્યારે અહીં છુપાયેલા આતંકવાદીઓને ઠાર કરવા સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો છે.

હંદવાડાના લંગેટ વિસ્તારમાં 32 રાષ્ટ્રીય રાઇફલસની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો બાદમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.જે દરમ્યાન એક આતંકવાદીને સેનાએ મોતને ઘાટ ઉતાર્યો. હુમલા અંગેની જાણકારી મળતાની સાથે સીઆરપીએફ અને એસઓજીની ટીમ ઘટના સસ્થળે પહોંચી હતી.
- દેશના સર્વિસ સેક્ટરમાં થોડી મંદી, મેનો સર્વિસ PMI ઘટીને 61.2 થયો
- નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરલાઇન્સ હવાઈ ભાડામાં વધારા અંગે ચર્ચા કરશે
- મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આ 5 સુપરફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ, બીમારીઓ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર રહશે
- મોટી કારની માંગ વધી, જાણો શા માટે સીયાઝ, વરના અને એસયુવી 700ને પસંદ કરવામાં આવે છે?
- અમદાવાદ-મહેસાણા હાઇવે પર મોટો અકસ્માત, કારચાલકે 3 શ્રમિકોને અડફેટે લેતા ત્રણેયના ઘટના સ્થળે મોત
મહત્વપૂર્ણ છે કે, આ પહેલા હંદવાડામાં 60 કલાક સુધી ઓપરેશન ચાલ્યુ હતુ જેમા સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. જ્યારે પાંચ જવાન અથડામણમાં શહીદ થયા હતા. અને એક નાગરિકનું મોત પણ થયું હતું.