પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવુ એ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. સરકાર દ્વારા સંચાલિત પોસ્ટમાં કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરીને આપ પોતાની મહેનતની કમાણીને ડબલ કરી શકો છો. પોસ્ટ ઓફિસની આ સ્કિમ અંતર્ગત સરકાર જમા રાશિને ડબલ કરવાની ગેરેન્ટી આપે છે.
જો તમે પણ લોંગ ટર્મમાં રોકાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો, આ સ્કિમમાં રોકાણ કરી શકો છો. હકીકતમાં આ સ્કીમ અંતર્ગત હાલના સમયમાં 124 મહિનામાં પૈસા ડબલ કરવાની ગેરેન્ટી આપવામાં આવે છે.

સરકાર 2021ની 30 સપ્ટેમ્બર સુધઈ તેનો વ્યાજ દર 6.9 ટકા નક્કી કર્યો છે. પૈસા કેટલા સમયમાં ડબલ થશે, તે વ્યાજ પર નિર્ભર કરે છે. હાલમાં 6.9 ટકા વ્યાજદર હોવાના કારણે ગ્રાહોકને લગભગ 10 વર્ષમાં પૈસા ડબલ કરવાની ગેરેન્ટી આપવામાં આવે છે.
આ સ્કીમમાં રોકાણ કરવાની શરતો
આ સ્કીમમાં 1000 રૂપિયા, 5000 રૂપિયા, 10,000 અને 50,000 રૂપિયા સુધીનું સર્ટિફિકેટ આપે છે. તો વળી વધુમાં વધુ રૂપિયા જમા કરાવાની લિમિટ નથી. સિંગલ અકાઉન્ટ ઉપરાંત જોઈન્ટ અકાઉન્ટમાં આ સુવિધા મળે છે. રોકાણ કરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. તથા રોકાણ કરનારા ભારતીય નાગરિક હોવા જોઈએ.
READ ALSO
- 3400 સ્કૂલોને અદ્યતન કરવા પાંચ વર્ષમાં ૧૨૦૭ કરોડનું આયોજનઃ શિક્ષણ ક્ષેત્રે 32719 કરોડની જોગવાઈ
- ખુશખબર/ ભારતની જે વેક્સીન પર ઉઠ્યા સવાલ, ત્રીજા ટ્રાયલમાં 81 ટકા અસરકારક સાબિત થઇ એ દેશી રસી
- ITના દરોડા/તાપસી પન્નુના ઘરે મોડી રાત સુધી ચાલી તપાસ, આજે હજુ કાર્યવાહી ચાલુ રહેશે
- બખ્ખાં/ સેન્સેક્સમાં જોરદાર ઉછાળો, રોકાણકારોની સંપતિ રૂપિયા 210.22 લાખ કરોડની વિક્રમી ટોચે પહોંચી
- મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોનાનો કહેર, નવા 9855 કેસ નોંધાયા 42ના નિપજ્યા કરૂણ મોત: અઘાડી સરકાર ચિંતામાં