સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પહોંચાની નજીક છે. અને આગામી દિવસોમાં ડેમ ઓવરફ્લો થવાનો ઐતિહાસિક પળનો નજારો જોવા મળશે. ફ્લડ કંટ્રોલ સહિત તંત્રના અધિકારીઓ ડેમમાં જળસપાટી પર સતત મોનિટરિંગ કરી રહ્યા છે. નર્મદા નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે.

નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 7 લાખ 12 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમના 23 ગેટ 4.1 મીટર સુધી ખોલી 6 લાખ 51 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સૌ પ્રથમ વખત દરવાજા 4.1 મીટર ખોલવામાં આવ્યા છે. એટલે આવનાર સમયમાં 10 લાખ ક્યુસેક પાણી છોડાશે.

કેવડીયાના ગોરા બ્રિઝ પર પાણી ફરી વળતા ફરીથી આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. નર્મદા ડેમમાં 5045 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જે ગુજરાત માટે સારા સમાચાર છે. રાજ્યના ખેડૂતોને હવે સિંચાઇ માટે ઉનાળામાં પણ પાણી મળી રહેશે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત