Last Updated on February 25, 2021 by pratik shah
ગુજરાતની રૂપાણી સરકારે ગુજસીટોક GujCTOC કાયદો દાખલ કર્યો છે. જ્યારે બીજી તરફ (ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક રિટ કરવામાં આવી છે. અરજદારની રજૂઆત છે કે આ કાયદાના કારણે પોલીસને વધુ પડતી સત્તા મળે છે, તેમજ તેની જોગવાઇઓનું ખોટું અર્થઘટન થવાની શક્યા છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી ત્રીજી માર્ચના રોજ નિયત કરી છે.
હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી ત્રીજી માર્ચના રોજ નિયત કરી

હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી ત્રીજી માર્ચના રોજ નિયત
અરજદારની રજૂઆત છે ક તેની સામે વર્ષ ૨૦૧૩થી ૨૦૧૬ દરમિયાન પાંચ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાંથી ત્રણ ફરિયાદ એક જ પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસના અંતરમાં નોંધવામાં આવી છે. આ ત્રણેય ફરિયાજો એક જ પ્રકારની બાબતોઅને આરોપોના આધાર ે છે. ગુજસીટોકને વર્। ૨૦૧૫માં રાષ્ટ્રપતિએ મંજૂરી આપી અને ૨૦૧૯ના ગેઝેટમાં તેને પ્રકાશિત કરવામાં આવ્યો છે. જો કે આ કાયદો અમલમાં આવ્યો તેની પહેલાંના ગુનાઓને પણ તેમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

અરજદારની રજૂઆત છે કે આ કાયદામાં પોલીસને અપાર સત્તાઓ અપાઇ છે, જેથી તેના દુરૃપયોગની અને ખોટાં અર્થઘટનની શક્યતાઓ વધી રહી છે. કાયદો અમલમાં આવ્યા પહેલાંના ગુનાઓને તેમાં સમાવવા યોગ્ય નથી. તેથી આ કાયદાની જોગવાઇઓ રજ થવી જોઇએ.
READ ALSO
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
