ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે લદ્દાખના પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચેની સ્થિતિને નાજુક અને ખતરનાક ગણાવી હતી. જય શંકરે કહ્યું કે ચીન સાથે સરહદ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ચીન સાથેના સંબધો સામાન્ય થઈ શકે નહી.

એસ. જયશંકરે કહ્યું કે લદ્દાખના કેટલાક ભાગોમાં સૈન્ય દળો એકબીજાની ખૂબ નજીક છે. સરહદ વિવાદ પર આગળ બોલતા કહ્યું વર્ષ 2020ના મધ્યમાં આ વિસ્તારમાં બંને પક્ષો વચ્ચેના સંઘર્ષમાં આપણા 20 સૈનિકો શહીદ થયા હતા. જો કે તેના 40થી વધુ સૈનિકો ઘાયલ તેમજ મૃત્યુ પામ્યા હતા. રાજદ્વારી અને સૈન્ય વાટાઘાટોના રાઉન્ડ દ્વારા સ્થિતિને શાંત કરવામાં આવી હતી. ડિસેમ્બરમાં બંને દેશો વચ્ચેની અચિહ્નિત સરહદના પૂર્વ સેક્ટરમાં હિંસા ફાટી નીકળી હતી પરંતુ કોઈનું મૃત્યુ થયું ન હતું
વિદેશ મંત્રીએ બીજું શું કહ્યું?
એસ. જયશંકરે કહ્યું મારા મગજમાં પરિસ્થિતિ હજુ પણ ખૂબ જ નાજુક છે. કારણ કે એવી જગ્યાઓ છે જ્યાં અમારી તૈનાતી ખૂબ નજીક છે અને સૈન્યનું મૂલ્યાંકન પણ ખૂબ જોખમી છે. સપ્ટેમ્બર 2020માં તેના ચીની સમકક્ષ સાથે થયેલા સૈદ્ધાંતિક કરાર મુજબ સરહદ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ભારત-ચીન સંબંધો સામાન્ય થઈ શકે નહીં. જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે બંને પક્ષોની સેના ઘણા ક્ષેત્રોમાંથી હટી ગઈ છે અને અનેક મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. અમે ચીનીઓને સ્પષ્ટ કહી દીધું છે કે અમે શાંતિ ભંગ કરવા માંગતા નથી. તમે કરારનું ઉલ્લંઘન કરી શકો નહીં.
- BREAKING / તીર્થયાત્રીઓને મક્કા લઈ જઈ રહેલી બસનો અકસ્માત, 20ના મોત-29 ઈજાગ્રસ્ત
- Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ
- Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ
- 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા
- સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ