દેશમાં મોટી સંખ્યામાં કોરાના વાયરસના કેસો આવી રહ્યા છે અને તેની બીજી લહેર ખૂબ જોખમી સાબિત થઈ રહી છે. દરમિયાન, ભારતીય રિઝર્વ બેંકે (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે મીડિયા બ્રીફિંગ કર્યુ હતું. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક વર્તમાન કોરોનાની સ્થિતિ પર નજર રાખશે. તેના નિયંત્રણ હેઠળના તમામ સંસાધનો અને ઉપકરણો તૈનાત કરશે, ખાસ કરીને નાગરિકો, વ્યવસાયિક સંસ્થાઓ અને બીજી લહેરથી પ્રભાવિત સંસ્થાઓને.
Reserve Bank of India will continue to monitor the emerging COVID19 situation and will deploy all resources and instruments at its command especially for the citizens, business entities, and institutions beleaguered by the second wave: Governor Shaktikanta Das pic.twitter.com/Y5Du0wk2QE
— ANI (@ANI) May 5, 2021
શક્તિકાંત દાસ કહે છે કે કોવિડ કટોકટીમાંથી બહાર નીકળવાની ભારતની ક્ષમતા પર વિશ્વાસ છે. કૃષિ ક્ષેત્રની તાકાત ઉપરાંત પુરવઠાની પરિસ્થિતિમાં વધારો થઈ રહ્યો છે. સારા ચોમાસાથી ગ્રામીણ માંગ મજબૂત રહેવાની અપેક્ષા છે. વ્યવસાયો કોવિડ પ્રતિબંધ હોવા છતાં ટકી રહેવાનું શીખ્યા છે.
Address by Shri Shaktikanta Das, RBI Governor
— ReserveBankOfIndia (@RBI) May 5, 2021
https://t.co/rBtDp1xwHb
રસી ઉત્પાદન માટે મોટો નિર્ણય
દાસે ઇમરજન્સી હેલ્થ સર્વિસીસ માટે 50,000 કરોડ આપ્યા હતા. આ દ્વારા બેંકો રસી ઉત્પાદકો, રસી પરિવહન, નિકાસકારોને સરળ હપ્તામાં લોન આપશે. આ ઉપરાંત હોસ્પિટલો, આરોગ્ય સેવા પ્રદાતાઓને પણ આ લાભ મળશે. તેમણે કહ્યું કે, પ્રાયોરિટી સેક્ટર માટે ટૂંક સમયમાં લોન અને ઇંસેન્ટીવ આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, દેશમાં કોરોના ચેપના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આને કારણે દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન અથવા લોકડાઉન જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
The forecast of a normal monsoon by IMD is expected to sustain rural demand and overall output in 2021-22, while also having soothing impact on inflation pressures: RBI Governor pic.twitter.com/x50oR1lXqJ
— ANI (@ANI) May 5, 2021
અગાઉ, એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના બેન્કરોએ રિટેલ અને નાના ઉદ્યોગો માટે આપવામાં આવતી લોન પર ત્રણ મહિનાની લોન મોરટોરિયમ જાહેર કરવા માટે સેન્ટ્રલ બેંકને વિનંતી કરી છે. આ સાથે અન્ય કેટલીક રાહતની પણ જાહેરાત કરવામાં આવી છે.
જો કે, નિષ્ણાતો માનવુ હતું કે ઘણા રાજ્યોમાં કોરોનોવાયરસના કેસની વધતી સંખ્યા અને લોકડાઉનની વચ્ચે, આરબીઆઈ ગવર્નર લોન મોરટોરિયમ વિસ્તરણ, નાના દેવાદારો માટે વધારાની રોકડ રાહત જેવા પગલાની જાહેરાત કરી શકે છે.

વડા પ્રધાન મોદીએ લોકડાઉનને છેલ્લો વિકલ્પ ગણાવ્યો હતો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી લોકડાઉનને જીવલેણ વાયરસનો ફેલાવો રોકવાનો અંતિમ વિકલ્પ ગણાવ્યો છે .. આ અઠવાડિયાની શરૂઆતમાં, ભારતીય ઉદ્યોગના સંઘના અધ્યક્ષ અને કોટક મહિન્દ્રા બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) ઉદય કોટકએ ટ્રાન્સમિશની સાંકળ તોડવા માટે, સરકારને આર્થિક પ્રવૃત્તિ ઘટાડવાનો વિચાર કરવા વિનંતી કરી હતી.
Read Also
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ