તમિલ કવિ અને સંત તિરૂવલ્લુવરને ભાજપ દ્વારા ભગવા વસ્ત્રોમાં બતાવવાના મામલાએ દક્ષિણ ભારતમાં રાજકીય રંગ પકડ્યો છે. ત્યારે સુપરસ્ટાર રજનીકાંતે પણ ભાજપને આ મુદ્દે નિશાને લીધી છે.
#Correction Rajinikanth: Attempts being made by some to paint me in BJP colours like the same way Thiruvalluvar (Tamil poet) is being saffronised. Fact remains that neither Thiruvalluvar nor I will fall into their trap. pic.twitter.com/bezX4iBsJw
— ANI (@ANI) November 8, 2019
હું તેમની જાળમાં ફસાવાનો નથી
ઘણી વખત પીએમ મોદીના વખાણ કરનારા રજનીકાંતે શુક્રવારે કહ્યું કે ભાજપ મને પણ લાંબા સમયથી તિરૂવલ્લુવરની જેમ ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ હું તેમની જાળમાં ફસાવાનો નથી.

રજનીકાંતે કહ્યું કે હું પોતે નક્કી કરીશ કે મારે કઇ પાર્ટીમાં જોડાવવું જોઇએ. કારણવગર મને ભગવા રંગમાં રંગવામાં ન આવે. તમિલનાડુમાં 2021માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેના ઠીક પહેલા રજનીકાંતનું આ પ્રકારનું નિવેદન ભાજપની ચિંતા વધારી શકે છે. તમિલનાડુ ભાજપે પ્રખ્યાત કવિ તિરૂવલ્લુવરની તસ્વીર ટ્વિટ કરી હતી. જેમાં તેમને ભગવા વસ્ત્રોમાં બતાવાયા હતા.
READ ALSO
- મોદી સરકારની પેરિસ ઓલિમ્પિક પર નજર, સ્પોર્ટ્સ બજેટમાં 27 ટકાનો વધારો, જાણો વિગતો
- ડ્રેગનને હવે નાના દેશો પણ નથી ગાંઠતા? / ભારતની નજીકનો દેશ જેની વસ્તી માત્ર 9 લાખ તેણે ચીનને બતાવી આંખ
- જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો
- આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા
- હિમપ્રપાત / જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભૂસ્ખલન, 2 વિદેશી નાગરિકોના મોત