Last Updated on March 5, 2021 by Bansari
રાજધાની દિલ્હીના પ્રમુખ સ્ટેશનો પર કોરોનાના કારણે લાંબા સમયથી બંધ પડેલી પ્લેટફોર્મ ટિકિટની સેવાને ફરી ચાલુ કરી દેવામાં આવી છે. અડધી રાતના સમયથી આ સેવા અમલી કરી દેવામાં આવી છે અને રેલવેએ ટિકિટની કિંમતોમાં પણ 3 ગણો વધારો કર્યો છે. પહેલા એક પ્લેટફોર્મ ટિકિટ ખરીદવા 10 રૂપિયા ચુકવવા પડતા હતા પરંતુ હવે 30 રૂપિયા ચુકવવા પડશે.

શા કારણે રેલવેએ વધાર્યા પ્લેટફોર્મ ટિકિટના ભાવ
કોરોના મહામારીના કારણે દેશમાં અનેક ટ્રેનની સેવા હજુ ફરીથી કાર્યાન્વિત નથી થઈ. એક રાજ્યથી બીજા રાજ્યમાં જનારા મુસાફરોને તેમના સંબંધીઓ રેલવે સ્ટેશન પર મુકવા આવતા હોય છે અને તેમના માટે રેલવેની પ્લેટફોર્મ ટિકિટ ખરીદવી ફરજિયાત હોય છે. કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી એક વર્ષ પહેલા પ્લેટફોર્મ ટિકિટની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી જેથી જેમને મુસાફરી કરવાની છે તે લોકો જ સ્ટેશન પર જાય અને વધુ ભીડ ન થાય. જો કે હવે ફરી પ્લેટફોર્મ ટિકિટની સેવા ચાલુ કરી દેવામાં આવી છે.

અહીં પ્લેટફોર્મ ટિકિટની કિંમત 5 ગણી વધારાઈ
દિલ્હી ઉપરાંત મુંબઈમાં પણ પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધારી દેવામાં આવ્યા છે અને 5 ગણી કિંમત કરી દેવામાં આવી છે. સેન્ટ્રલ રેલવેએ મુંબઈ મેટ્રોપોલિટીન રીજન (MMR)ના કેટલાક પ્રમુખ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમતો વધારી દીધી છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ્સ, દાદર અને લોકમાન્ય તિલક ટર્મિનલ્સ ખાતે પ્લેટફોર્મ ટિકિટનો ભાવ રૂપિયા 10થી વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

લોકલ ભાડામાં વધારો
પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં કરવામાં આવેલા વધારા સાથે જ રેલવેએ લોકલ ભાડામાં પણ વધારો કર્યો છે. રેલવેએ પેસેન્જર ટ્રેનના બદલે એક્સપ્રેસ ટ્રેનની સેવા શરૂ કરી છે અને તેના ભાડામાં વધારો થયો છે. મુસાફરોએ 10ના બદલે 30 રૂપિયા ચુકવીને લોકલમાં સવારી કરવી પડશે. દિલ્હીથી ગાઝિયાબાદ જવા માટે 10ના બદલે 30 રૂપિયા ચુકવવા પડશે. રેલવેએ એક તરફ પરિવહન શરૂ કરીને લોકોને સગવડ કરી આપી છે પરંતુ સાથે જ તેમના ખિસ્સાનું ભારણ વધાર્યું છે.
Read Also
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
