સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી નોકરીમાં અનામતને લઈને કરવામાં આવેલી ટિપ્પણી બાદ રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે મોદી સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટમાં પુર્નવિચાર અરજી દાખલ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું ભાજપ અનામતને ખતમ કરવા માગે છે. તેઓએ વધુમાં કહ્યું કે ભાજપ-આરએસએસના ડીએનએને અનામત ખુંચે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું આરએસએસ-ભાજપની વિચારધારા અનામતના વિરૂદ્ધમાં છે. તેઓ કોઈ પણ રીતે રિઝર્વેશનને ભારતના બંધારણમાં કાઢવા માગે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રિઝર્વેશનને ક્યારેય નહીં દૂર થવા દઈએ, તે પછી મોદીજી સપનું હોય કે મોહન ભાગવતનું સપનું, અમે આવું ક્યારેય નહીં થવા દઈએ.
READ ALSO
- ખેડૂત આંદોલન/ મોદીનો છે કાર્યક્રમ એ લાલ કિલ્લા પર પહોંચી ખેડૂતોનો લલકાર, કૃષિ કાયદાઓને પાછા હટાવો
- Health Tips/ મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે હ્યૂમન ટચ, જાણો હગ કરવાના શું છે ફાયદા
- ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાત્રી કર્ફ્યુમાં રાહતમાં આપ્યા સંકેત
- ખેડૂત આંદોલન અપડેટ/ દિલ્હી મેટ્રોના આ રૂટને કરી દેવાયા બંધ, ખેડૂતો અને પોલિસ વચ્ચે ઝપાઝપીના બન્યા બનાવો
- ખેડૂત આંદોલન/ લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટ પાસે ખેડૂતો અને પોલિસ વચ્ચે થયું ઘર્ષણ, ખેડૂતો પર લાઠીચાર્જ અને ટિયરેગસના છેલ છોડાયા