રાહુલ ગાંધી તાજેતરમાં કેમ્બ્રિજની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે મોદી સરકાર અંગે કરેલી ટિપ્પણીઓ પર ભારતમાં હોબાળો મચી ગયો હતો. સત્તા પક્ષ આ મામલે રાહુલ ગાંધીને દેશની માફી માગવા દબાણ કરી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધી તેમના નિવેદન પર અડગ છે અને તેમણે કહી દીધું છે કે મારી સ્પીચમાં કંઈ જ વાંધાજનક નહોતું.
વિદેશ મંત્રાલયની બેઠકમાં વિપક્ષ જોડાયો
સંસદમાં ભારે હોબાળા વચ્ચે તાજેતરમાં વિદેશ મંત્રાલયની બેઠકમાં રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. તેમણે કહ્યું કે મારું નિવેદન એક વ્યક્તિ અંગે જ હતું. સરકાર કે પછી દેશને લઈને નહોતું. રાહુલે આ સફાઈ એવા સમયે આપી હતી જ્યારે ભાજપા સાંસદોએ ભારે હોબાળો મચાવી રાખ્યો છે. ભારતની જી૨૦ અધ્યક્ષતા અંગે આયોજિત વિદેશ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી અને વિપક્ષના તમામ નેતા હાજર હતા. આ દરમિયાન ભાજપ અને વિપક્ષના સાંસદો વચ્ચે તીખી ચર્ચા થઈ હતી. ભાજપે રાહુલ સામે આકરા પ્રહારો કર્યા હતા.
READ ALSO
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે
- ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન