ક્વોડ દેશો અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાને ગુરુવારે કહ્યું કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને યુક્રેન બનવા દેવામાં આવશે નહીં. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે યુક્રેનની તર્જ પર તાઈવાન પર ચીનના હુમલાની આશંકા છે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ વર્ચ્યુઅલ મીટિંગમાં જણાવ્યું હતું કે કોઈ ઈન્ડો-પેસિફિકમાં યુક્રેનની સ્થિતિનો ફાયદો નહિ ઉઠાવી શકે
યુક્રેન પર રશિયાના હુમલાનો ઉલ્લેખ કરતા કિશિદાએ કહ્યું, “અમે એ વાત પર પણ સહમત થયા છીએ કે કોઈને પણ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એકપક્ષીય રીતે યથાસ્થિતિ બદલવાની મંજૂરી આપવી જોઈએ નહીં.” મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક પ્રદેશ તરફ આ પગલું મહત્વપૂર્ણ છે. ઈન્ડો-પેસિફિક માટે વ્હાઇટ હાઉસના સંયોજક કર્ટ કેમ્પબેલે સોમવારે જણાવ્યું હતું કે યુક્રેન કટોકટી હોવા છતાં યુએસ તેનું ધ્યાન ભારત-પેસિફિક ક્ષેત્ર પર રાખશે.
મોદીએ કહ્યું, યુક્રેનનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા શોધવો જોઈએ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ જો બિડેન, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ આ વર્ચ્યુઅલ સમિટમાં હાજરી આપી હતી. બેઠકમાં યુક્રેન મુદ્દે પણ ચર્ચા થઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સંવાદ અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે દરેક મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. આવી સ્થિતિમાં આપણે હિંસાનો માર્ગ છોડીને વાતચીત અને કૂટનીતિ દ્વારા સંકટનો અંત લાવવો જોઈએ.
મીટિંગમાં સપ્ટેમ્બર 2021માં યોજાયેલી ક્વાડ સમિટમાં નક્કી કરવામાં આવેલા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન ચારેય દેશોના નેતાઓએ નક્કર પરિણામો હાંસલ કરવાની દિશામાં કામ કરવું જોઈએ અને આ વર્ષના અંતમાં જાપાનમાં યોજાનારી સમિટ પહેલા પરસ્પર સહયોગને વધુ ગાઢ બનાવવો જોઈએ.

વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્વાડે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવાના તેના મુખ્ય ઉદ્દેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે માનવતાવાદી અને આપત્તિ રાહત, ધિરાણ સ્થિરતા, પુરવઠા શૃંખલા, સ્વચ્છ ઉર્જા, કનેક્ટિવિટી અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં સહકારના નક્કર અને વ્યવહારુ પગલાઓનું આહ્વાન કર્યું હતું. બેઠક દરમિયાન નેતાઓએ અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
તેમાં દક્ષિણપૂર્વ એશિયા, હિંદ મહાસાગર ક્ષેત્ર અને પેસિફિક ટાપુઓની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ યુનાઈટેડ નેશન્સ ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓ પરસ્પર સહયોગ જાળવવા અને જાપાનમાં આગામી નેતાઓની સમિટ માટે મહત્વાકાંક્ષી એજન્ડા તરફ કામ કરવા સંમત થયા હતા.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા