GSTV
India News Trending

ભગવંત માન કોને ‘બેવકુફ’ બનાવી રહ્યા છે? આમ આદમી ક્લિનિકમાં પરિવર્તિત કરાયેલા અનેક પીએચસી, ગંદા શૌચાલય, તૂટેલી ખુરશીઓ, મશીનો બંધ પડેલા છે

મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે પંજાબમાં 400 નવા આમ આદમી ક્લિનિક્સ (એએસી) નું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રીએ તેને પંજાબમાં હેલ્થકેર ક્રાંતિની શરૂઆત ગણાવી. ઉદ્ઘાટન સમારોહની દેખરેખ માટે સરકારી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તેઓ શુક્રવારે આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા.

આમ આદમી ક્લિનિક (એએસી)માં ગંદા શૌચાલય, તૂટેલી ખુરશીઓ
પંજાબમાં ઘણા જૂના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએચસી)ને નવા એએસીમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે શરૂઆતના દિવસે જ્યારે સ્ટાફ ત્યાં પહોંચ્યો ત્યારે તેમને ગંદા શૌચાલય, બાંધકામ હેઠળના રૂમ, જર્જરિત ખુરશીઓ અને જૂના એક્સ-રે મશીનો જોવા મળ્યા. અમુક દવાખાનામાં તો સ્ટાફ અને અન્ય લોકોને બેસવા માટે પણ જગ્યા નથી.

ફરજ પરના કર્મચારીઓએ જણાવ્યું હતું કે ક્લિનિક્સ ઉતાવળમાં ખોલવામાં આવી હતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂર્ણ કર્યા વિના બધું જ ઉતાવળમાં કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જ્યાં પીએચસીની જગ્યાએ આમ આદમી ક્લિનિક બનાવવામાં આવ્યું છે ત્યાંના પ્રવેશદ્વાર પર માત્ર મુખ્યમંત્રીના ફોટા સાથેનું બોર્ડ હતું.

ક્લિનિક્સ પર શિક્ષકોની ડ્યુટી લગાવાઇ

એએશી ખાતે સ્માર્ટ એલઇડી સ્ક્રીન, લેપટોપ અને કોમ્પ્યુટરની કામગીરીમાં આરોગ્ય વિભાગને ટેકનિકલ સહાય પૂરી પાડવા માટે જે શાળાઓની ફરજ સોંપવામાં આવી હતી તે શાળાના કોમ્પ્યુટર શિક્ષકો જ્યારે ક્લિનિક પર પહોંચ્યા ત્યારે ચોંકી ઉઠ્યા હતા. ત્યાં કોઈ કોમ્પ્યુટર, એલઇડી સ્ક્રીન કે કોઈ ગેજેટ નહોતું જેને આપણે ઓપરેટ કરી શકીએ. સ્ટાફને બેસવાની જગ્યા ન હતી. બાંધકામ હજી ચાલુ હતું અને ક્લિનિક ખુલવા તૈયાર નહોતું.

કપૂરથલાના એક ક્લિનિકમાં ફરજ પરના એક શિક્ષકે કહ્યું, “એક જ વસ્તુ એ હતી કે પ્રવેશદ્વાર પર એક બોર્ડ હતું જે સરસ રીતે દોરવામાં આવ્યું હતું અને તેના પર સીએમ માનની તસવીર સાથે આમ આદમી ક્લિનિક લખ્યું હતું.”

મકસૂદપુર ગામના એએસીમાં ડૉક્ટર માટે જગ્યા અને દર્દીઓ માટે વેઇટિંગ એરિયા નથી
કપૂરથલાના મકસૂદપુર ગામમાં, જ્યાં જૂની પીએચસીને એએસીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી, ફ્લોર પર નવી ટાઇલ્સ ચોંટાડવાનું કામ હજુ પણ ચાલુ હતું જ્યારે કર્મચારીઓ પહોંચ્યા ત્યારે પ્રવેશદ્વાર પર ઇંટો અને સિમેન્ટ સહિતની બાંધકામ સામગ્રીનો ઢગલો કરવામાં આવ્યો હતો.

શિક્ષણ વિભાગના એક કર્મચારી કે જેને ક્લિનિકમાં ફરજ સોંપવામાં આવી હતી તેણે કહ્યું, “ત્યાં ગંદા અને દુર્ગંધવાળા શૌચાલય હતા અને એક જૂનું, તૂટેલું એક્સ-રે મશીન બીજા રૂમમાં બંધ હાલતમાં પડેલું હતું. ડૉક્ટર માટેનો ઓરડો અને દર્દીઓ માટે વેઇટિંગ એરિયા તૈયાર ન હોવાથી બહાર એક ટેન્ટ લગાવવામાં આવ્યો હતો જ્યાં દરેક વ્યક્તિ ઉદ્ઘાટનની ઔપચારિકતા પૂરી કરવા બેઠા હતા.

READ ALSO

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla
GSTV