અપકમિંગ ફિલ્મ “ધ ક્રિએટર સર્જનહાર’ને લઈને વિવાદ ઉભો થયો છે. આ ફિલ્મ અમદાવાદના જે મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થવાની હતી ત્યાં બજરંગદળનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તેને લઈને થોડા સમયથી તંગ માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા અદાશર્માની ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને ભારે વિરોધ પ્રદર્શન જોવા મળ્યો. હવે ફિલ્મને લઈને હિન્દુ સંગઠન ખુબ જ ગુસ્સામાં જોવા મળ્યો છે.
#WATCH | Gujarat | Members of Bajrang Dal staged a protest at a multiplex in Ahmedabad on 24th May against the upcoming film, 'The Creator – Sarjanhar'. The protesters alleged that the film is promoting "love jihad" pic.twitter.com/IYlN5NM7Xx
— ANI (@ANI) May 25, 2023
અમદાવાદમાં મલ્ટિપ્લેક્સની બહાર બજરંગ દળના કાર્યકરો એકઠા થયા હતા અને એકસાથે જય શ્રી રામનો નારા લગાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓએ એમ પણ કહ્યું કે તેઓ હિન્દુ ધર્મની રક્ષા માટે હંમેશા તૈયાર રહેશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં કાર્યકર્તાઓ ભગવા રંગના ગમછા પહેરીને જોર જોરથી જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે, તેમજ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે.
આ ફિલ્મમાં સીઆઈડીમાં દયાની ભૂમિકા ભજવનાર અભિનેતા દયાનંદ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમના સિવાય શાજી ચૌધરી, રોહિત ચૌધરી, રઝા મુરાદ, નીલુ કોહલી, અનંત મહાદેવન અને આર્ય બબ્બર જેવા સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ 26 મેના રોજ દેશભરમાં ઘણી જગ્યાએ રિલીઝ થશે. આ ફિલ્મનું ડિરેક્શન પરવીન હિંગોનિયા દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે તે રાજેશ કરાટે ગુરુજી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.
ધ કેરલા સ્ટોરી ફિલ્મને લઈને પહેલેથી જ ઘણો હોબાળો થયો હતો અને તેને એક પ્રોપેગેંડા ફિલ્મ માનવામાં આવી હતી. હવે આ ફિલ્મને લઈને પણ આવી જ સ્થિતિ ઉભી થઈ છે. ફિલ્મ વિશે વાત કરતાં તેના પ્રોડ્યુસરે કહ્યું કે – ‘હું કોઈ ખતરાથી ડરતો નથી, તેઓ તેમના ધર્મને પ્રેમ કરે છે અને મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. હું ઈચ્છું છું કે ધર્મના નામે કોઈ પણ પ્રકારની લડાઈ ન થવી જોઈએ. ધર્મને મારો અને માનવતા બચાવો. શું તમે તમારા પરિવારને ગુમાવવા માંગો છો?’
કેવું છે ફિલ્મનું ટ્રેલર?
આ ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો તેમાં અલગ-અલગ ધર્મના ઘણા યુવકો પ્રેમમાં પડતા જોવા મળે છે. આ ફિલ્મની સ્ટોરી જેની આસપાસ ફરે છે તે વ્યક્તિ વાસ્તવમાં ધર્મની દીવાલ તોડીને લોકોને માનવતાના દૃષ્ટિકોણથી જોવા માંગે છે. તે વ્યક્તિ ઇચ્છે છે કે લોકો ધર્મ ભૂલીને માત્ર પ્રેમ કરે. પરંતુ આ ફિલ્મ હિન્દુ સંગઠનોના નિશાના પર છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ રીલીઝ થયા બાદ તેના તે કેવું પરફોર્મ કરે છે.
READ ALSO
- વાહ રે વહીવટી તંત્ર! અમદાવાદના બિસ્માર રસ્તા-ભૂવાની ચિંતા છોડી 192 કોર્પોરટરો સ્ટડીટૂરના નામે કાશ્મીર સહિતના લોકેશન પર જઈ માણશે આનંદ
- BHAVNAGAR / પત્નીના ત્રાસથી કંટાળી પતિએ શરીર પર પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મદાહનો પ્રયાસ
- વડોદરા : ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જતા ભારે શોધખોળના અંતે ફાયર ફાઈટરને મૃતદેહ મળ્યો
- RAJKOT / મોટામવા વિસ્તારમાં પાણીના ટાંકામાં પડી જતા ચોકીદારની 3 વર્ષની બાળકીનું કરૂણ મોત
- મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’