ગુજરાતમાં કોરોના વાયરસને લઇને અનેક જાહેર સમારંભો તેમજ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. ત્યારે હવે સાવચેતીના ભાગરૂપે મંદિરો તેમજ તીર્થસ્થાનોમાં પણ વિવિધ કાર્યક્રમો બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રાજ્ય તેમજ વિદેશના મંદિરોમાં કાર્યક્રમો બંધ રાખવાની જાહેરાત કરાઇ છે.
મંદિરોમાં કાર્યક્રમો બંધ
સ્વામિનારાયણ સંપ્રદાય | સંખ્યા |
વડતાલ | ૧૫ |
મણિનગર ગાદી સંસ્થાન | ૩૦ |
કાળુપુર | ૭૫ |
બીએપીએસ | ૨૫૦ |
કુમકુમ | ૧ |
મંદિરોમાં કાર્યક્રમો બંધ | |
સંપ્રદાય | સંખ્યા |
ઇસ્કોન | ૧૫૦ |
જે અંતર્ગત વડતાલ તાબા હેઠળના 15 મંદિરો, મણિનગર ગાદી સંસ્થાનના 30 મંદિરો, કાળુપુર તાબા હેઠળના 75 મંદિરો, બીએપીએસના 250 મંદિરો, કુમકુમ સ્વામિનારાયણ મંદિર તેમજ વિવિધ દેશોમાં આવેલા સ્વામિનારાયણ મંદિરોમાં રોજીંદા કાર્યક્રમો બંધ રહેશે. આ ઉપરાંત ઇસ્કોનના પણ અંદાજે 150 જેટલા મંદિરોના કાર્યક્રમો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ મંદિરોમાં આયોજીત થનારા સભા સહિતના વિવિધ કાર્યક્રમો હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ