જમ્મુ-કાશ્મીરને લઇને મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. સાથે જ ઘાટીને ધારા 370 દ્વારા જે વિશેષ અધિકાર મળ્યાં હતાં, તે હવે હટાવી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે લદ્દાખ એક અલગ રાજ્ય હશે.
HM Amit Shah: Jammu and Kashmir to be a union territory with legislature and Ladakh to be union territory without legislature pic.twitter.com/nsEL5Lr15h
— ANI (@ANI) August 5, 2019
ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવેલી મંજૂરી રજૂ કરી. તેમણે સદનમાં સંકલ્પ પત્ર વાંચ્યુ. જે બાદ સદનમાં હોબાળો શરૂ થઇ ગયો. રાષ્ટ્રપતિનો તે આદેશ તમે અહીં વાંચી શકો છો.


જણાવી દઇએ કે ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને લઇને બે સંકલ્પ અને બે બિલ રજૂ કર્યા. જે બાદ સદનમાં હોબાળો શરૂ થયો અને વિપક્ષે હંગામો શરૂ કરી દીધો.
Union Home Minister Amit Shah in Rajya Sabha: I am ready for all discussions by the leader of the Opposition, the entire opposition and the members of the ruling party over Kashmir issue. I am ready to answer all questions. pic.twitter.com/AKs365vBiH
— ANI (@ANI) August 5, 2019
આ ઉપરાંત મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન વિધેયકને રજૂ કર્યુ. જેના અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરી દેવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વિના જ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.
અમિત શાહ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે લદ્દાખના લોકોની ઘણાં લાંબા સમયથી માગ રહી છે કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે જેથી અહીં રહેતા લોકો પોતાના લક્ષ્યોને હાંસેલ કરી શકે.
Read Also
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત