જેમ કૉન્ગ્રેસે પ્રશાંત કિશોર માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે તેમ પ્રશાંત કિશોરે પણ કૉન્ગ્રેસ માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. કૉન્ગ્રેસે તાજેતરમાં તેમને જે ઑફર કરી તે તેમણે સ્વીકારી નથી, પણ તેઓ કૉન્ગ્રેસની આકરી ટીકા કરતા બચી રહ્યા છે. તેનો સીધો અર્થ એવો નીકળે છે કે તેમણે કૉન્ગ્રેસ માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે અને જો કૉન્ગ્રેસ સારી ઑફર કરે તો તેઓ 2023 તથા 2024માં કૉન્ગ્રેસ માટે કામ કરવા ઉત્સુક છે.

હાલ પ્રશાંતે બિહારથી નવી રાજકીય યાત્રા શરૂ કરવાની ઘોષણા કરી છે. તેમણે નવો રાજકીય પક્ષ સ્થાપવાની જાહેરાત નથી કરી તો આ અટકળને રદિયો પણ આપ્યો નથી. તેઓ બીજી ઑક્ટોબરથી 3000 કિ.મી. લાંબી પદયાત્રા કરવાના છે. આ પદયાત્રામાં તમારી સાથે ભાજપ, કૉન્ગ્રેસ કે નીતીશકુમારમાંથી કોણ હશે. તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું, જે લોકો બિહારને બદલવા માગે છે તેઓ મારી સાથે હશે.

કૉન્ગ્રેસ જોડે વાતચીત ચાલતી હતી તે પૂરી થઈ ગઈ કે હજી પોઝ છે તેવા સવાલના જવાબમાં પીકેએ કહ્યું, આમાં વાતચીત પૂરી થવા જેવી કે પોઝ થવા જેવી કોઈ વાત નથી. એ તો કૉન્ગ્રેસની ઉદારતા છે કે મારા જેવા સાધારણ માણસને બોલાવ્યો. મેં તેમને આગળના રસ્તા બતાવ્યા. હવે તે રસ્તા પર ચાલવું કે નહીં તે તેમણે નક્કી કરવાનું છે. કૉન્ગ્રેસમાં એવા ઘણા લોકો છે જેમની યોગ્યતા મારા કરતા વધારે છે.
રાહુલ ગાંધી વિશે તેમણે કહ્યું, રાહુલ ગાંધી મોટા માણસ છે. હું સાધારણ માણસ છું. તેમની સાથે અવિશ્વાસ જેવી કોઈ વાત ન હોઈ શકે. અવિશ્વાસ બરાબરના લોકોમાં હોય. મારી તેમની સાથે બરાબરી ન થઈ શકે.
Read Also
- મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આ 5 સુપરફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ, બીમારીઓ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર રહશે
- મોટી કારની માંગ વધી, જાણો શા માટે સીયાઝ, વરના અને એસયુવી 700ને પસંદ કરવામાં આવે છે?
- અમદાવાદ-મહેસાણા હાઇવે પર મોટો અકસ્માત, કારચાલકે 3 શ્રમિકોને અડફેટે લેતા ત્રણેયના ઘટના સ્થળે મોત
- રતન ટાટાની કંપની ગુજરાતમાં લિથિયમ આયન બેટરી બનાવવા જઈ રહી છે
- રાજ્યસભા ઈલેક્શન/ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને લખ્યો પત્ર, 3 બેઠકો માટે ઓગસ્ટમાં ચૂંટણી યોજાશેઃ ઉમેદવારો બદલાશે કે રીપિટ થશે?