વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સૂર્યોદય યોજના પણ ગુજરાતને સમર્પિત કરી. પીએમ મોદીએ કિસાન સમર્પિત યોજનાનું ઇ-લોકાર્પણ કરતા જણાવ્યું કે આ યોજના થકી હવે ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજળી મળી શકશે. જેના કારણે ખેડૂતોએ વીજળી માટે રાત્રે વેઠવા પડતા ઉજાગરાઓ બંધ થશે. સૂર્ય ઉર્જા થકી દિવસે ઉત્પન્ન થકી વીજળીનો દિવસે જ વપરાશ થઇ શકશે.
1055 ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ
Prime Minister Narendra Modi launches the ‘Kisan Suryodaya Yojana’ for the farmers of Gujarat.
— ANI (@ANI) October 24, 2020
It aims to provide day-time power supply for irrigation to farmers. pic.twitter.com/wYFgOOI3Ab
- કિસાન સૂર્યોદય યોજના
- ગુજરાતના કુલ ૧૭.૨૫ લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે
- કુલ ૩,૫૦૦ કરોડનો ખર્ચ
- ૬૬ કે.વી.ની ૩,૪૯૦ સર્કિટ કિમી જેટલી ૨૩૪ નવી ટ્રાન્સમિશન લાઇન
- ૨૨૦ કે.વી.ના ૯ નવા સબ સ્ટેશનો
- જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદથી યોજનાનો પ્રારંભ
- શરૂઆતમાં ૩ જિલ્લાના ૧,૦૫૫ ગામના ખેડૂતોને મળશે લાભ
કિસાન સૂર્યોદય યોજના માટે કુલ 3 હજાર 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જે અંતર્ગત 66 કે.વી.ની 3 હજાર 490 સર્કિટ કિમી જેટલી 234 નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ 220 કે.વી.ના 9 નવા સબસ્ટેશનો સ્થાપવામાં આવશે. યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દાહોદ જિલ્લાના કુલ 1 હજાર 55 ગામોના ખેડૂતોને લાભ મળશે. આગામી 3 વર્ષમાં તબક્કાવાર રીતે સમગ્ર રાજ્યને આવરી લેવામાં આવશે. આમ ગુજરાત કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગુજરાતના કુલ 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે.
Read Also
- સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ?, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું
- જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ