વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સૂર્યોદય યોજના પણ ગુજરાતને સમર્પિત કરી. પીએમ મોદીએ કિસાન સમર્પિત યોજનાનું ઇ-લોકાર્પણ કરતા જણાવ્યું કે આ યોજના થકી હવે ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજળી મળી શકશે. જેના કારણે ખેડૂતોએ વીજળી માટે રાત્રે વેઠવા પડતા ઉજાગરાઓ બંધ થશે. સૂર્ય ઉર્જા થકી દિવસે ઉત્પન્ન થકી વીજળીનો દિવસે જ વપરાશ થઇ શકશે.
1055 ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ
Prime Minister Narendra Modi launches the ‘Kisan Suryodaya Yojana’ for the farmers of Gujarat.
— ANI (@ANI) October 24, 2020
It aims to provide day-time power supply for irrigation to farmers. pic.twitter.com/wYFgOOI3Ab
- કિસાન સૂર્યોદય યોજના
- ગુજરાતના કુલ ૧૭.૨૫ લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે
- કુલ ૩,૫૦૦ કરોડનો ખર્ચ
- ૬૬ કે.વી.ની ૩,૪૯૦ સર્કિટ કિમી જેટલી ૨૩૪ નવી ટ્રાન્સમિશન લાઇન
- ૨૨૦ કે.વી.ના ૯ નવા સબ સ્ટેશનો
- જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદથી યોજનાનો પ્રારંભ
- શરૂઆતમાં ૩ જિલ્લાના ૧,૦૫૫ ગામના ખેડૂતોને મળશે લાભ
કિસાન સૂર્યોદય યોજના માટે કુલ 3 હજાર 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જે અંતર્ગત 66 કે.વી.ની 3 હજાર 490 સર્કિટ કિમી જેટલી 234 નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ 220 કે.વી.ના 9 નવા સબસ્ટેશનો સ્થાપવામાં આવશે. યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દાહોદ જિલ્લાના કુલ 1 હજાર 55 ગામોના ખેડૂતોને લાભ મળશે. આગામી 3 વર્ષમાં તબક્કાવાર રીતે સમગ્ર રાજ્યને આવરી લેવામાં આવશે. આમ ગુજરાત કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગુજરાતના કુલ 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે.
Read Also
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો