GSTV
Business Trending ગુજરાત

કિસાન સૂર્યોદય યોજના/ ખેડૂતોએ હવે નહી કરવા પડે રાતના ઉજાગરા, દિવસે પણ મળશે વીજળી, 17.25 લાખ ખેડૂતોને થશે ફાયદો

કિસાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સૂર્યોદય યોજના પણ ગુજરાતને સમર્પિત કરી. પીએમ મોદીએ કિસાન સમર્પિત યોજનાનું ઇ-લોકાર્પણ કરતા જણાવ્યું કે આ યોજના થકી હવે ગુજરાતના ખેડૂતોને દિવસે પણ વીજળી મળી શકશે. જેના કારણે ખેડૂતોએ વીજળી માટે રાત્રે વેઠવા પડતા ઉજાગરાઓ બંધ થશે. સૂર્ય ઉર્જા થકી દિવસે ઉત્પન્ન થકી વીજળીનો દિવસે જ વપરાશ થઇ શકશે.

1055 ખેડૂતોને મળશે આ યોજનાનો લાભ

  • કિસાન સૂર્યોદય યોજના
  • ગુજરાતના કુલ ૧૭.૨૫ લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે
  • કુલ ૩,૫૦૦ કરોડનો ખર્ચ
  • ૬૬ કે.વી.ની ૩,૪૯૦ સર્કિટ કિમી જેટલી ૨૩૪ નવી ટ્રાન્સમિશન લાઇન
  • ૨૨૦ કે.વી.ના ૯ નવા સબ સ્ટેશનો
  • જૂનાગઢ, ગીર સોમનાથ અને દાહોદથી યોજનાનો પ્રારંભ
  • શરૂઆતમાં ૩ જિલ્લાના ૧,૦૫૫ ગામના ખેડૂતોને મળશે લાભ

કિસાન સૂર્યોદય યોજના માટે કુલ 3 હજાર 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જે અંતર્ગત 66 કે.વી.ની 3 હજાર 490 સર્કિટ કિમી જેટલી 234 નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ 220 કે.વી.ના 9 નવા સબસ્ટેશનો સ્થાપવામાં આવશે. યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દાહોદ જિલ્લાના કુલ 1 હજાર 55 ગામોના ખેડૂતોને લાભ મળશે. આગામી 3 વર્ષમાં તબક્કાવાર રીતે સમગ્ર રાજ્યને આવરી લેવામાં આવશે. આમ ગુજરાત કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગુજરાતના કુલ 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે.

Read Also

Related posts

સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ

Hardik Hingu

લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર 

Rajat Sultan

વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ?, જાણો ભારતમાં દેખાશે કે નહીં

Hardik Hingu
GSTV