GSTV
ANDAR NI VAT Trending

રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં પીએમ મોદીની ભૂમિકા? જાણો વિદેશમંત્રી જયશંકરે આ યોજના વિશે શું કહ્યું?

રશિયા અને યુક્રેનના યુદ્ધને આજે એક વર્ષ કરતાં પણ વધારે સમય થઇ ગયો છે પરંતુ હજુ પણ આ યુદ્ધને  અટકવાની કોઇ આશા નથી દેખાઇ રહી. આ દરમિયાન વિશ્વના તમામ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નજર રાખી રહ્યાં છે કે તે બંને દેશોના આ યુદ્ધને રોકવામાં મોદી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, પરંતુ મોદી શું કરશે તેનો જવાબ વિદેશમંત્રી જયશકરે આપી દીધો હતો.

નોંધનીય છે કે એક મીડિયા સમેલનમાં જયશંકરને પૂછવામાં આવ્યું કે શું રશિયા-યુક્રેનના યુદ્ધ રોકવામાં પીએમ મોદી ભૂમિકા ભજવશે. તો તેના જવાબમાં જયશંકરે કહ્યું કે હકિકતે દુનિયામાં તમે ભવિષ્યવાણી કરશો નહીં. તેમણે કહ્યું કે આ સમયે યુક્રેનના સંઘર્ષને કારણે ઘણા વિશેષ મુદ્દાઓ સામે આવ્યાં છે અને જ્યાં પણ અમારા માટે કોઈ સંભાવના છે, અમે ત્યાં અમારૃં યોગદાન આપીશું.

ઉલ્લેખનીય છે કે અગાઉ તુર્કીના વિદેશમંત્રીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને હું જ્યારે ન્યુયોર્કમાં હતો ત્યારે યુક્રેનના પીએમ મને મળ્યાં હતા અને તેણે પરમાણુ પ્લાન્ટ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓ ઉચ્છતા હતા કે હું રશિયા સાથે વાત કરું ત્યારબાદ મેં વડાપ્રધાનની પરવાનગી બાદ રશિયન વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવ સાથે આ મુદ્દે વાત કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે

Hina Vaja

Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ

Siddhi Sheth

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel
GSTV