વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં કરાયેલા ઘટાડાથી વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર હોવાનું ગણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે લોકો હંમેશા અમારા માટે પ્રથમ હોય છે. પીએમ મોદીએ કહ્યું કે આજના નિર્ણયો, ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડા સાથે સંબંધિત, વિવિધ ક્ષેત્રો પર સકારાત્મક અસર કરશે.
It is always people first for us!
— Narendra Modi (@narendramodi) May 21, 2022
Today’s decisions, especially the one relating to a significant drop in petrol and diesel prices will positively impact various sectors, provide relief to our citizens and further ‘Ease of Living.’ https://t.co/n0y5kiiJOh
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવા અને ગેસ સબસિડી આપવાના આ નિર્ણય અંગે માહિતી આપી હતી. છેલ્લા કેટલાક મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.આ સિવાય એલપીજીના ભાવમાં પણ સતત વધારો થયો છે.