વડાપ્રધાન મોદીએ શનિવારે ઉત્તરાખંડને 18 હજાર કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. પીએમ મોદીએ અહીં દિલ્હીથી દેહરાદૂન સુધીના ઈકોનોમિક કોરિડોરનો શિલાન્યાસ કર્યો હતો. આ કોરિડોરના કારણે દિલ્હીથી દેહરાદૂન વચ્ચેનું અંતર 6 કલાકના બદલે માત્ર અઢી કલાકમાં કાપી શકાશે. તેનાથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ ઉપરાંત તે રૂટ પરથી ચાલનારા તમામ મુસાફરોને ફાયદો થશે.

વડાપ્રધાને જણાવ્યું કે, કેન્દ્રની સરકારે 5 વર્ષમાં ઉત્તરાખંડ માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાઓ સ્વીકૃત કરી છે. જે લોકો એવું પુછતા હતા કે, ઉત્તરાખંડમાં ડબલ એન્જિનની સરકાર શું કરી રહી છે તે આજે જોઈ શકે છે કે, ડબલ એન્જિનની સરકારમાં ઉત્તરાખંડની તસવીર કઈ રીતે બદલાઈ રહી છે. તે સિવાય વડાપ્રધાને વિપક્ષ પર નિશાન તાકતા કહ્યું કે, વન રેન્ક, વન પેન્શન હોય, આધુનિક અસ્ત્ર-શસ્ત્ર હોય, આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવાનું હોય તેમણે દરેક સ્તરે સેનાને હતોત્સાહિત કરવાની સોગંધ લીધા હતા.
આજે જે સરકાર છે તે વિશ્વના કોઈ પણ દેશના દબાણમાં ન આવી શકે. અમે રાષ્ટ્ર પ્રથમ, સદૈવ પ્રથમના મંત્ર પર ચાલનારા લોકો છીએ. વડાપ્રધાને જણાવ્યું કે, 2007થી 2014ના વર્ષ દરમિયાન કેન્દ્રની જે સરકાર હતી તેણે 7 વર્ષમાં ઉત્તરાખંડમાં માત્ર 288 કિમી નેશનલ હાઈવે બનાવ્યા. જ્યારે અમારી સરકારે 7 વર્ષમાં ઉત્તરાખંડમાં 2 હજાર કિમી કરતા વધારે લંબાઈના નેશનલ હાઈવેનું નિર્માણ કર્યું છે.
ALSO READ
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી