આશા કરવામાં આવી રહી હતી કે બજેટમાં પીએમ કિસાન સન્માન નિધિ(PM Kisan Samman Nidhi) યોજનાથી મળવા વાળી રકમ વધી શકે છે. પરંતુ સરકારે એમાં ઘટાડો કરી દીધો. મતલબ ખેડૂતોને મળવા વાળી રાશિમાં કોઈ પણ વધારાની વાત પુરી કરી દીધી છે.
પીએમ કિસાનનો બજેટમાં વધારો

કૃષિ મંત્રાલય પોતાનું આખું બજેટ 2020-21માં ખતમ ન શકીયું. જેથી સરકારે આ વખતે બજેટમાં ઘટાડો કરી દીધો. નાણાકીય વર્ષ 2020-21માં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 75000 કરોડ રૂપિયા આપવામાં આવશે. જયારે નાણાકીય વર્ષ 2021-22માં આ સ્કીમ માટે 65,000 કરોડ આપવામાં આવ્યા છે. એટલે 10,000 કરોડ રૂપિયાનો ઘટાડો કરી દીધો છે. હાલના નાણાકીય વર્ષમાં કૃષિ મંત્રાલયએ 65,000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે માટે સરકારે આ બજેટમાં ઘટાડો કરી દીધો છે.
ખેડૂતોને મળતી રકમમાં કોઈ ઘટાડો નહિ

પરંતુ એનો મતલબ એ નથી કે ખેડૂતોને મળનારી વાર્ષિક 6000 રૂપિયાની રકમમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. ખેડૂતોને પહેલાની જેમ નક્કી રકમ જ મળશે. આ વર્ષે અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે આ રકમ વધારી 9 હજાર અથવા 10 હજાર કરવામાં આવી શકે છે. એજથી એમના હાથ =માં મહિનાના હિસાબે વધુ રકમ આવે છે. ખેડૂતોને આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. 2-2 હજારના ત્રણ હપ્તા ચાર મહિનામાં ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્ફર કરવામાં આવે છે.
ફાળવેલ રકમ ખર્ચ ન થઇ શકી

મોદી સરકારે ખેડૂતોના હિતને ધ્યાન રાખીને 2018માં ખેડૂતોને PM Kisan Yojana હેઠળ 6000 રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી હતી. હજુ સુધી આ યોજનાના સાત હપ્તા આપી દેવામાં આવ્યા છે . નાણાકીય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારે PM Kisan Yojana માટે 75000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. ચાલુ વર્ષમાં આ ફાળવેલ રકમનો ખર્ચ ન થયો.
Read Also
- શ્રીલંકાના પૂર્વ કેપ્ટનની મુશ્કેલીમાં વધારો / ક્રિકેટ બોર્ડે માંગ્યું 2 અબજ રૂપિયાનું નુકસાન, જાણો શું છે સમગ્ર મામલો
- ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ
- ભાજપને મહત્વ મળતાં શિંદેના મંત્રીઓ નારાજ : સરકારનું અસલી સ્ટીયરિંગ ફડણવિસ પાસે
- કેજરીવાલે ઓફર કરી મોદી સરકારને ફોર્મ્યુલા : જાણો કેવી રીતે દરેક ગરીબ બનશે ધનવાન
- પંજાબ કોંગ્રેસમાં ફરી ઘમાસાણ : વોરિંગ વર્સીસ જાખડ વચ્ચે બબાલ શરૂ