Last Updated on April 7, 2021 by Dhruv Brahmbhatt
કેન્દ્રીય કેબિનેટે બુધવારે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે બે ક્ષેત્રોમાં ઉત્પાદન આધારિત પ્રોત્સાહન (PLI) યોજનાને મંજૂરી આપી દીધી છે. તેમાં પ્રથમ સોલર પેનલ અને બીજા નંબરે છે વ્હાઇટ ગુડ્સ (એસી અને એલઈડી લાઇટ્સ). સાથે જ કેન્દ્રીય કેબિનેટે એક એમઓયૂને પણ મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફ્રન્સ કરી આ જાણકારી આપી છે. ગોયલે જણાવ્યું કે કેબિનેટે એસી અને એલઈડી ઉપકરણોના ઉત્પાદન માટે 6,238 કરોડ રૂપિયાની પીએલઆઈ સ્કીમને મંજૂરી આપી છે. આ રકમ 5 વર્ષોમાં આપવામાં આવશે.

આ યોજના મેન્યૂફેક્ચરિંગ સેક્ટરને ખૂબ જ આગળ લઇ જશે
ગોયલે જણાવ્યું કે તેમાં 5-6 ટકા ઇન્સેન્ટિવ મળશે. તેમણે જણાવ્યું કે મોટાભાગના ઉપકરણ એમએસએમઈ (MSME) બનાવે છે. આવી સ્થિતિમાં MSMEને લાભ થશે અને મોટા સ્તરે રોજગારનું સર્જન થશે. તેમણે જણાવ્યું કે આ યોજના દ્વારા ભારતને એસી અને એલઈડી ઉપકરણોના નિર્માણમાં આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે. આ પીએલઆઈ સ્કીમ ભારતના મેન્યૂફેક્ચરિંગ સેક્ટરને ખૂબ જ આગળ લઇને જશે.
બીજી પીએલઆઈ યોજના હાઈ એફિશિઅન્સી સોલર પીવી મોડ્યૂલ્ય માટે છે. ગોયલે જણાવ્યું કે હાઈ એફિસિઅન્સી સોલર પીવી મોડ્યૂલ્સ દ્વારા અંદાજે 10 હજાર મેગાવોટની એડિશનલ મેન્યૂફેક્ચરિંગ કેપેસિટીનું ભારતમાં નિર્માણ થશે. જેમાં 4.5 હજાર કરોડ રૂપિયાનું PLI અપાશે.
વિદેશી કંપનીઓ પ્રોત્સાહિત થશે
ગોયલે જણાવ્યું કે તેનાથી વિદેશી કંપનીઓ પણ ભારતમાં આવવા માટે પ્રોત્સાહિત થશે અને ભારત સોલર ઉપકરણના નિર્માણમાં આત્મનિર્ભર બનશે. સાથે જ વીજળીના ભાવમાં પણ ઘટાડો થશે. ગોયલે જણાવ્યું કે આ યોજના દ્વારા 30 હજાર લોકોને પ્રત્યક્ષ અને 1.10 લાખ લોકોને અપ્રત્યક્ષ રીતે રોજગાર મળશે.
ગોયલે જણાવ્યું કે એલઈડી લાઇટિંગમાં આજે ભારત વિશ્વ લિડર છે. ઉજાલા યોજના દ્વારા એલઈડીના ભાવમાં 85 ટકા સુધીનો ઘટાડો થયો છે. હવે અંદાજે તમામ જગ્યાએ એલઈડી લગાવવામાં આવી રહી છે, જેથી વીજળીના બિલ ઓછા થયા અને તેનાથી કાર્બન ઉત્સર્જન પણ ઓછું થયું.

એક કરોડ લોકોને મળશે રોજગાર
ગોયલે જણાવ્યું કે આત્મનિર્ભર ભારત માટે પીએલઆઈ યોજના એક કેન્દ્રીય બિંદૂ છે. ભારતે 13 સેક્ટરની પંસદગી કરી, જે ગ્લોબલ સપ્લાય ચેનમાં પોતાનો યોગદાન આપી શકે છે. આટલી મોટી યોજના કદાચ પ્રથમ વખત લાવવામાં આવી છે. તેનાથી ઓછામાં ઓછા 1 કરોડ લોકોને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે કામ કરવાની તક મળશે. તેનાથી ભારતના મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને મોટો વેગ મળશે. ભારતે ગત 5 વર્ષમાં 2 ટ્રિલિયન ડોલર અથવા 1.5 લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં કર્યું છે. 13 સેક્ટરમાં પીએલઆઈ સ્કીમ 35 લાખ કરોડ રૂપિયાના વધારાના ઉત્પાદનને પ્રોત્સાહિત કરશે.
Read Also
- આ રાજ્યમાં ખરીદાશે ઓક્સિજન સિલિન્ડર, 1 કરોડ રૂપિયાના ખર્ચને કરી મુખ્યમંત્રીએ કરી દીધું મંજૂર
- પ્રિયંકા ગાંધીના આરોપો પર બીજેપી નેતા સંબિત પાત્રાએ આપ્યો આ સ્ફોટક જવાબ, આપત્તિના સમયમાં ગરમાયું રાજકારણ
- મોટી રાહત / કોરોનાની બીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આ ભારતીય રસી યુકે-બ્રાઝિલ વરિઅન્ટ સામે અસરકારક
- Oral Symptoms of Covid/ માત્ર સ્વાદ જ નહિ, મોઢામાં દેખાવા વાળા આ પાંચ લક્ષણ હોઈ શકે છે કોરોનાના સંકેત
- તંત્રની ખુલી પોલ/ સુરતમાં એટલી બદતર સ્થિતિ છે કે શબવાહીનીઓ ખૂટી પડી, કોવિડ ડેડ બોડી લાવવા સ્કૂલ વાનનો ઉપયોગ
