GSTV
Astrology Life Trending

પિતૃને લઈને ગરૂડ પુરાણમાં શું કહેવામાં આવ્યું છે, આ કામ ન કરનારા જાય છે નરક!

Narak Swarg Garud Puran katha: હિન્દુ ધર્મના પ્રમાણે, જ્યારે કોઈના ઘરમાં કોઈનું મોત થઈ જાય છે તો 13 દિવસ સુધી ગરૂડ પુરાણનો પાઠ (Garud Puran Path) કરવામાં આવે છે. શાસ્ત્રોના અનુસાર કોઈ આત્મા તત્કાલ જ બીજો જન્મ ધારણ કરી લે છે.

તદ્દપરાંત પણ ગરૂડ પુરાણની કથામાં ઘણુંબધું જણાવવામાં આવે છે. આ ખબરમાં જણાવવાનો પ્રયાસ કર્યો છે કે જે શખ્સ ભગવાન શિવ અને વિષ્ણુનું ચિંતન નથી કરતો કે પિતૃ અને દેવતાઓની પૂજા નથી કરતો તેની સાથે શું થાય છે?

ભગવાન શિવ અને વિષ્ણનું ચિંતન કરવું

ગરૂડ પુરાણ પ્રમાણે, જે વ્યક્તિ કુવો, તળાવ કે પાણીના સ્ત્રોતને નુકસાન પહોંચાડે છે કે તેને ખરાબ કરે છે તો તેને નરકમાં જવું પડે છે. માટે હંમેશા એવી જગ્યાનો આદર કરવો જોઈએ, જ્યાંથી જળ મળતું હોય. તદ્દપરાંત આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે કે જે શખ્સ જીવનમાં ભગવાનનું નામ નથી લેતો અને ન તો ભગવાન શિવ અને વિષ્ણુનું ચિંતન કરે છે. એવા લોકોને પણ નરકની પ્રાપ્તિ થાય છે.

કોઈ જો ઘરેથી ભૂખ્યું જાય તો

આ ધાર્મિક ગ્રંથ પ્રમાણે, જો કોઈ વ્યક્તિ ભૂખ્યો તરસ્યો થાકેલો તમારા ઘર પર આવે છે અને ત્યાંથી તેને અપમાનિત થઈને પરત જવું પડે તો અપમાન કરનારા વ્યક્તિને નરકની પ્રાપ્તિ થાય છે. તદ્દપરાંત આત્મહત્યાનો પ્રયાસ કરનારી વ્યક્તિ, સ્ત્રી હત્યા કરનારો, ગર્ભ હત્યા કે પછી કોઈ વિરૂદ્ધ ખોટી સાક્ષી જુબાની આપનારી વ્યક્તિને પણ નરકમાં સ્થાન મળે છે.

પિતૃ અને દેવતાઓ માટે શું કહેવામાં આવ્યું છે?

ગરૂડ પુરાણમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ પોતાના બાળક, પત્ની, નોકરો અને મહેમાનો વગર ખાવાનું ખવડાવ્યા વગર ખાય છે કે જે પિતૃ અને દેવતાઓની પૂજાને છોડી દે છે, તેને નરક જવું પડે છે. તદ્દપરાંત એ પણ જણાવવામાં આવ્યું છે કે જે અનાથ બાળકનું સન્માન નથી કરતું કે રોગી, વૃદ્ધોની સેવા નથી કરતા તેમના પર દયા નથી કરતા તો તે લોકોને પણ નરકની પ્રાપ્તિ થાય છે.

લાલચી વ્યક્તિનું શું થાય છે?

જે શખ્સના મનમાં લાલચ હોય કે તે બીજાની સંપત્તિ ધનને હડપવા પર નજર રાખતો હોય. તદ્દપરાંત, જે વ્યક્તિ બ્રાહ્મણ, સાધુઓ, ધાર્મિક ગ્રંથોની નિંદા કરે છે એવા લોકો પણ નરકમાં જ સ્થાન પ્રાપ્ત કરે છે.

READ ALSO

Related posts

જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ

Rajat Sultan

મોહમ્મદ શમી સહિત ત્રણ ખેલાડીઓને ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યા નોમિનેટ

Hardik Hingu

અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી

Rajat Sultan
GSTV