કેરળના મુખ્યમંત્રી પિંનરાય વિજયને 11 ગેર-ભાજપ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને એકસાથ થઇ કેન્દ્ર પાસે વેક્સિન માંગવા કહ્યું છે. માંગ છે કે વેક્સિન કેદ્ર ખરીદે અને રાજ્યોને ફ્રીમાં આપે.
મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં વિજયને જણાવ્યું કે તેમણે આ સબંધમાં પીએમને પહેલા જ પત્ર લખ્યો છે. પત્રમાં પીએમને સમજાવવામાં આવ્યા છે કે જો કેન્દ્ર પહેલ કરી રાજ્યોની જરૂરતોનું મૂલ્યાંક કરી પોતે ગ્લોબલ ટેન્ડર કાઢે તો ખુબ ફાયદો થશે. જયારે કેન્દ્ર ખરીદશે તો ખરીદ મૂલ્ય ઓછું હશે.

વિજયન કહે છે કે જો વેક્સિન ખરીદવાની જવાબદારી રાજ્યો પર નાખી દેવામાં આવશે તો તેમની નાણાકીય હાલત ખરાબ અવસ્થાને પ્રાપ્ત થશે. રાજ્યોના રૂપિયા-પૈસાથી મજબૂત થવું દેશના સંઘીય માળખાના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી હોય છે. રાજ્ય, જો નાણાકીય રીતે કમજોર પડે છે તો પોતે સંઘવાદ કમજોર પડશે અને આ વાત આપણા દેશના લોકતંત્ર માટે શુભ નહિ હો. આનાથી સમાજમાં કોવિડ પ્રતિ શીઘ્ર હર્ડ ઇમ્યુનીટી વિકસિત કરવાના પ્રયાસ પણ બાધિત થશે.
વિજયને કહ્યું કે આ સમયે વેક્સિન સપ્લાયની અછત છે. વેક્સિન બનાવવા વાળા આ સ્થિતિનો સંપૂર્ણ ફાયદો ઉઠાવી લાંબી કમાણી કરવાના ચક્કરમાં છે. વિદેશી ફાર્મા કંપનીઓ વેક્સિનના વેચાણ માટે રાજ્યો સરકારો સાથે કોઈ કરાર કરવા ઇચ્છુક જ નથી. પરંતુ ભારત પાસે દવા બનાવવા વળી સાર્વજનિક ક્ષેત્રની પણ કંપનીઓ છે જે વેક્સિન નિર્માણની જવાબદારી ઉઠાવી શકે છે.

કેરળના મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે વેક્સિન મેન્યુફેક્ચરિંગના રસ્તામાં ઈન્ટલેક્ચ્યુલ પ્રોપર્ટી રાઇટ્સ, પેટન્ટ કાનૂન અને બીજા કનેક્શન બાધા ન બને કારણ કે કોવિડની વેક્સિન લોક કલ્યાણનો મામલો છે. કેન્દ્ર સરકારે કમ્પલસરી લાઇસન્સિંગ જેવા વિકલ્પનો પણ વિચાર કરવો જોઈએ.
પત્રના અંતમાં વિજયન કેન્દ્ર સરકાર માટે ખુબ તીખી વાત કહી છે. તેઓ લખે છે કે આજે રાષ્ટ્ર જયારે કોવિડ-19ની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે, કેન્દ્ર પોતા રાજયોને વેક્સિનની સમુચિત સપ્લાય કરવાના વચનબદ્ધ ડ્યુટી ભાગી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આ મોટા દુર્ભાગ્યની વાત છે.
Read Also
- બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર
- તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી
- સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
- T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી
- કૃષ્ણ જન્માષ્ટમી/ 18 કે પછી 19 ઓગસ્ટમાંથી ક્યા દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવી? જ્યોતિષીઓ પાસેથી જાણો યોગ્ય તારીખ, મૂહુર્ત અને પૂજા વિધિ