કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમે દિલ્હી હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. ચિદમ્બરમને આઇએનએક્સ મીડિયા મામલે સીબીઆઇના કેસમાં મંગળવારે જ જામીન મળી ચૂક્યા છે. આથી હવે તેઓ કેસની તપાસ કરી રહેલા ઇડીના મામલામાં પણ જામીન મેળવવા માંગે છે.

ઇડીનો હેતુ અરજકર્તાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો છે
ચિદમ્બરમે હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે ઇડીએ તેમની ધરપકડ બદઇરાદાને કારણે કરી છે. ઇડીનો હેતુ અરજકર્તાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો છે.

હાલમાં પી. ચિદમ્બરમ 24 ઓક્ટોબર સુધી તિહાર જેલમાં ઇડીની જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. આઇએનએક્સ મીડિયા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં ઇડીએ 16 ઓક્ટોબરના રોજ પી. ચિદમ્બરમની અંદાજે 2 કલાક પૂછપરછ કરી હતી અને ત્યાર બાદ તેની ધરપકડ કરી હતી.
Read Also
- ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન
- હવે દિલ્હી મેટ્રો 100 કિમીની ઝડપે દોડશે, આટલા સમય વહેલા પહોંચશે એરપોર્ટ
- દિલ્હીથી અમૃતસર જઈ રહેલી ટ્રેનના 8 ડબ્બા જુદા પડી ગયા, લોક પિન ખુલી જતા આ ઘટના સર્જાઈ
- શું તમે Facebook, Twitter અને Amazon જેવી ઘણી પ્રખ્યાત બ્રાન્ડના મૂળ નામોથી પરિચિત છો ?
- રાજકોટ/ ગટર સાફ કરતા કોન્ટ્રાક્ટર-મજૂરના મોત મુદ્દે ડીસીપીએ મુલાકાત લીધી, પરીવારજનો સાથે થઈ શાબ્દિક માથાકૂટ