અમદાવાદમાં મોન્સુન કામગીરી પાછળ કરોડોની રકમ ખર્ચ કરવામાં આવ્યા બાદ પણ શહેરનાં અનેક નિચાણવાળા વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદી પાણી ઓસર્યા નહોતા.આ બાબતને લઈ પાણી કમિટીની બેઠકમાં અધિકારીઓનો ઉધડો લઈ કમિટીની આગામી બેઠકમાં લેખિતમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

પાણી કમિટીની બેઠક બાદ ચેરમેન જતીન પટેલે પ્રતિક્રીયા આપતા કહયુ, શહેરમાં ૧૦ અને ૧૧ જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ બાદ વસ્ત્રાલ ઉપરાંત નિકોલ, નરોડા, સૈજપુર ઉપરાંત બાપુનગર,ઓઢવ તેમજ શાંતિપુરા ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.આ પૈકી કેટલાક વિસ્તાર તો એવા હતા કે જયાં વરસાદી પાણીના નિકાલમાં પાંચથી છ દિવસથી પણ વધુનો સમય લાગ્યો હતો.કમિટીમાં દરેક ઝોનના એડીશનલ સિટી ઈજનેર અને અન્ય જવાબદાર અધિકારીઓનો આ સંદર્ભમાં જવાબ માંગવામાં આવ્યો હતો.

કરોડોની રકમ જયારે મોન્સુન કામગીરી પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ખર્ચ કરવામાં આવી હોય.આમ છતાં અલગ અલગ વોર્ડ અને તેના વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ પણ વરસાદી પાણીનો નિકાલ તંત્ર ના કરી શકે?ઘણાં સ્થળોએથી ડ્રેનેજને લગતી ફરિયાદો પણ મળી હતી.આ પરિસ્થિતિ કયા કારણથી સર્જાઈ?કેમ કામગીરી કરવામાં વિલંબ થયો એ સહિતના તમામ મુદ્દાઓ ઉપર એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી અધિકારીઓને આગામી કમિટીમાં રજૂ કરવા કહેવામાં આવ્યુ છે.સિંગરવા પાસે નવો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જગ્યા શોધી પ્લાનિંગ કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.
Read Also
- તૈયાર રહેજો/ 15 અને 16 ઓગસ્ટે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ: બંદરો પર લગાવાયુ એક નંબરનું સિગ્નલ, હવામાન વિભાગે કરી છે આવી આગાહી
- સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
- T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી
- કૃષ્ણ જન્માષ્ટમી/ 18 કે પછી 19 ઓગસ્ટમાંથી ક્યા દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવી? જ્યોતિષીઓ પાસેથી જાણો યોગ્ય તારીખ, મૂહુર્ત અને પૂજા વિધિ
- મર્ડરનો Live વીડિયો/ ભરબજારમાં ખેલાયો ખૂની ખેલ: છરીના અનેક ઘા મારીને યુવકની કરી હત્યા, આ વીડિયો જોઇને હલી જશો