Last Updated on April 7, 2021 by Chandni Gohil
મોદી સરકાર હવે લશ્કરી સૈનિકોની સંખ્યામાં પણ કાપ મૂકવાની છે. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે જ આ માહિતી સંસદની સ્ટેન્ડિંગ કમિટીને આપેલી છે. જનરલ રાવતે આપેલી માહિતી પ્રમાણે આગામી ૩-૪ વર્ષમાં લશ્કર એક લાખ સૈનિકો ઓછા કરશે.

જનરલ રાવતે દાવો કર્યો છે કે, મોદી સરકાર ૧ લાખ સૈનિકોનો ઘટાડો કરશે તેના કારણે જે પણ રકમ બચશે તેનો ઉપયોગ લશ્કર માટેની ટેકનોલોજી માટે કરાશે. જો કે સરકારનાં સૂત્રોનું કહેવું છે કે, આર્થિક રીતે સંકટમાં મૂકાયેલી મોદી સરકાર કરકસરનાં પગલાંના ભાગરૂપે આ નિર્ણય લઈ રહી છે.

આ અંગે પહેલાં પણ વિચારણા થઈ હતી પણ કોઈ સરકારે આ નિર્ણય નહોતો લીધો. જનરલ વી. પી. મલિક આર્મી ચીફ હતા ત્યારે તેમણે પચાસ હજાર સૈનિકો ઘટાડવાની ભલામણ કરી હતી પણ તેનો અમલ નહોતો થયો. સંરક્ષણ નિષ્ણાતોના મતે, ચીન આપણી જમીન પચાવી પાડવા સતત પ્રયત્નો કરે છે એ જોતાં મોદી સરકારનો નિર્ણય જોખમી સાબિત થઈ શકે છે.
READ ALSO
- અમદાવાદમાં ભયંકર સ્થિતી: કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં કેન્દ્રમાંથી ડોક્ટર્સ અને પૈરામેડિકલનો સ્ટાફ ગુજરાત બોલાવાયો
- કુંભના મેળામાં ગયેલા લોકોને પહેલા આઇસોલેટ કરી અને આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ જ કોઈપણ જિલ્લામાં પ્રવેશ કરવામાં આવે
- કામની વાત/ હવે એડ્રેસ પ્રુફ વિના મળશે LPG ગેસ કનેક્શન, આ નિયમોમાં થયો ફેરફાર
- અમારી પાર્ટી પાસે 65 ધારાસભ્યો છે, સરકાર અમને કામ બતાવે, અમે સાથે મળીને જનતાની મદદ કરીશું
- ડ્યુટી સાથે માતૃત્વની ફરજ/ કોરોના કાળમાં માસુમ બાળક સાથે મહિલા પોલીસ કર્મચારી ઓન ડ્યુટી, કરફ્યૂમાં બજાવી રહી છે ફરજ
