GSTV
Life Travel Trending

ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં બન્યો હતો ભારતનો સૌથી જૂનો હાઇવે, અંતર માપવા માટે વાવ્યા હતા વૃક્ષો, યાત્રીઓને રહેવા માટે રૂમ અને પ્રાણી બાંધવા માટેની પણ હતી વ્યવસ્થા

હાઇવે

આપણા દેશમાં કુલ 599 નેશનલ હાઇવે છે પરંતુ જો કોઈ તમને પૂછવામાં આવે કે શું તમને ખબર છે કે આપણા દેશનો સૌથી જૂનો નેશનલ હાઇવે કયો છે? તો શું તમે તેનો જવાબ આપી શકશો? જો નથી ખબર તો તમને આજે જણાવી દઈએ ભારતનો સૌથી જૂના હાઈવે ગ્રાન્ડ ટ્રંક રોડ છે. તેને કેટલીક વિશેષ ખાસિયત પણ છે. આ હાઇવે ક્યારે બન્યો, ક્યાંથી ક્યાં જાય છે તેની માહિતી પણ તમને આજે મળશે.

આ હાઇવે ક્યારે બન્યો હતો?

ભારતનો સૌથી જૂનો હાઇવે ગ્રાન્ડ ટ્રંક રોડ ચંદ્રગુપ્ત મૌર્યના શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. સોળમી સદીમાં શેર શાહ સૂરી દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી હતી. અંતર માપવા માટે આના પર વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા. એક કોસમાં 3.22 કિલોમીટરનું અંતર હતું. એટલું જ નહીં, યાત્રીઓને રહેવા માટે રૂમો હતા, તે સમયે આ રસ્તા પર પ્રાણીઓને બાંધવાની જગ્યા અને પાણી માટે કૂવો પણ બનાવવામાં આવ્યો હતો.

હાઇવે

આ હાઇવે ક્યાં સુધી જાય છે?

આ હાઈવે માત્ર દેશમાં જ પૂરો નથી થતો, પરંતુ અન્ય દેશોમાં પણ જાય છે. આ હાઈવે બાંગ્લાદેશથી શરૂ થઈને બર્દવાન, આસનસોલ, સાસારામ, પ્રયાગરાજ, અલીગઢ, દિલ્હી, અમૃતસર અને પછી પાકિસ્તાનના લાહોર અને રાવલપિંડી થઈને અફઘાનિસ્તાન જાય છે.

હાઈવેના ઘણા નામ હતા

NH-1, NH-2, NH-5 અને NH-91 પણ ભારતમાં આ હાઇવેનો ભાગ છે. આ હાઈવેનું નામ પણ અનેક વખત બદલવામાં આવ્યું છે. આ રસ્તો ઉત્તર ભારતમાં છે, તેથી પહેલા તેને ઉત્તરપથ કહેવામાં આવતું હતું. બાદમાં સડક-એ-આઝમ, બાદશાહી સડક નામ આપવામાં આવ્યું.

હાઇવે

અન્ય નેશનલ હાઇવે

ગ્રાન્ડ ટ્રંક રોડ જૂનો તેમજ ઘણો લાંબો છે. ભારતમાં બીજા ઘણા હાઇવે છે જે દેશના સૌથી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગોની યાદીમાં સામેલ છે. NH 27 એ દેશનો બીજો સૌથી મોટો હાઇવે છે. આ હાઈવે લગભગ 7 રાજ્યો અને લગભગ 27 શહેરોમાંથી પસાર થાય છે. તે જ સમયે, NH-48 દેશના ત્રીજા સૌથી મોટા રાષ્ટ્રીય ધોરીમાર્ગનું બિરુદ ધરાવે છે. આ હાઈવેની કુલ લંબાઈ લગભગ 2,807 કિમી છે. તે ભારતની રાજધાની દિલ્હીથી શરૂ થાય છે અને દક્ષિણ ભારતમાં ચેન્નાઈમાં સમાપ્ત થાય છે. આ સિવાય NH 52 એ દેશનો ચોથો સૌથી લાંબો હાઈવે છે. તે લગભગ 2,317 કિમી લાંબી છે.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV