અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સંઘ અને વીએચપીએ કેન્દ્ર સરકારને ચેતાવણી આપી છે. સંઘની ચેતાવણી કેન્દ્રની મોદી સરકારની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. રવિવારે આયોજિત વીએચપીની એક રેલીમાં સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અમે ભીખ નથી માગી રહ્યા. જેથી સરકારે પોતાનો વાયદો પૂર્ણ કરવા કાયદો બનાવવો જોઈએ.
વાયદાને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે
સરકારે કાયદો નહીં લાવે તો મોદી સરકારને જનતાના ગુસ્સાનો ભોગ બનવું પડશે. સંઘના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ વધુમાં કહ્યુ કે, સરકારે રામ મંદિરનું નિર્માણ કરવા માટે ચૂંટણીમાં વાયદો કર્યો હતો. આ વાયદાને પૂર્ણ કરવાનો હવે સમય આવી ગયો છે.
જેથી સત્તામાં બેસેલા લોકોએ જનતાની જનભાવનાને સમજવી જોઈએ. રામ મંદિર બનાવવા માટે અમે કોઈ ભીખ નથી માગી રહ્યા. મહત્વપૂર્ણ છે કે, સંઘ બાદ વીએચપી પણ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવા માટે સરકાર પર દબાણ કરી રહી છે.
READ ALSO
- દક્ષિણ ગુજરાતના સૌથી મોટા પાક શેરડી બની ખોટનો ધંધો : 9 જિલ્લામાં વાવણી થઈ ગઈ બંધ, નર્મદાનો ન થયો ફાયદો
- અહો આશ્ચર્યમ : સિંહ અને સિંહણ વચ્ચેની આ ક્ષણ પહેલી વખત કેમેરામાં થઈ કેદ, સિંહની હરકત જોઈ ત્રાહીમામ પોકારી જશો
- હિંદ મહાસાગરમાંથી હાંકી કઢાયેલાં જહાજ મામલે ચીને કરી સ્પષ્ટતા, શોધ નહી, પાણીનો ઉતાર-ચડાવ માપી રહ્યા હતા
- શું તમે જાણો છો કે ઝાડના થડને સફેદ અને લાલ રંગની પટ્ટીથી કેમ રંગવામાં આવે છે?
- નિત્યાનંદ આશ્રમની બન્ને સાધિકાઓને કાયમી જામીન માટે હજુ જોવી પડશે રાહ, કોર્ટ લીધો આ નિર્ણય