GSTV
India News Trending

કેજરીવાલ નહીં પણ સિસોદિયા કેમ નિશાન પર? ફીડબેક યુનિટમાં કથિત ભષ્ટ્રાચારનો કેસ નોંધાતા સિસોદિયાનો જેલમાંથી મુક્તિનો માર્ગ અધરો બન્યો

મનિષ સિસોદિયા સામે સીબીઆઈએ દિલ્હી સરકારના ફીડબેક યુનિટમાં કથિત ભ્રષ્ટાચાર અંગે નવો કેસ નોંધતાં સિસોદિયાની જેલમાંથી મુક્તિનો માર્ગ અઘરો બન્યો છે. સીબીઆઈનો દાવો છે કે, ગેરકાયદેસર રીતે ફીડબેક યુનિટને બનાવવાથી સરકારી તિજોરીને 36 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ફીડબેક યુનિટ પર વિરોધ પક્ષના નેતાઓ, અધિકારીઓ અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલાં લોકોની જાસૂસીનો પણ આરોપ છે.

સીબીઆઈએ આ મુદ્દે અરવિંદ કેજરીવાલને બદલે સિસોદિયા સામે કેમ કેસ નોંધ્યો એ સવાલ થઈ રહ્યો છે. દિલ્હી સરકારના વડા તરીકે સરકાર દ્વારા લેવાતા નિર્ણયોની જવાબદારી મુખ્યમંત્રીની છે. તેના બદલે સીબીઆઈ સહિતની એજન્સીઓ નાયબ મુખ્યમંત્રીને નિશાન બનાવી રહી છે. ભાજપે આ કેસમાં કેજરીવાલને આરોપી બનાવવાની માગ કરી છે પણ સીબીઆઈ ચૂપ છે. કોંગ્રેસે જાસૂસીને આંતરિક સુરક્ષાનો મામલો ગણાવીને અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ લગાવવા માંગ કરી છે. વિશ્લેષકોના મતે, કેજરીવાલને ટાર્ગેટ કરવાથી રાજકીય નુકસાનનો ખતરો હોવાથી કેન્દ્ર સિસોદિયાને નિશાન બનાવી રહી છે.

READ ALSO…

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV