GSTV
India News Trending

કોરોનાનો ફફડાટ: દેશમાં અહીં લાગૂ કરાયું ફરી એક વાર નાઈટ કર્ફ્યૂ, આજ રાતથી જ લાગૂ થશે આ નિયમો, ચેતી જજો

પંજાબના જાલંધરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ફરી એક ત્યાં જિલ્લા પ્રશાસને શનિવારના રોજ નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત હવે ત્યાં રાતના 11 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગૂ રહેશે.

આજ રાતથી લાગૂ થશે નિયમો

અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આ આદેશ શનિવારથી લાગૂ થશે. જાલંધરમાં શુક્રવારના રોજ કોરોનાના વધુ 134 નવા કેસ સામે આવ્યા છે. હેલ્થ બુલેટિન અનુસાર અત્યારે જાલંધરમાં કોરોનાના કુલ કેસમાં 856 લોકોની સારવાર ચાલી રહી છે. જ્યાં છેલ્લા ચાર અઠવાડીયામાં કોરોનાના કેસમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.

દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ

દેશના અમુક રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા થોડા સમયમાં અચાનક તેજી જોવા મળી રહી છએ. જેને લઈને કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે આ મહામારીના કારણે મૃત્યાંક ફરી એક વાર 100થી વધારે નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે સવારે જાહેર કરાયેલા આંકડા મુજબ 24 કલાકામ કોરોનાના કેસ 18,327 નવા કેસ આવ્યા છે. જેના કારણે સંક્રમિતોની કુલ સંખ્યા એક કરોડ 11 લાખ 92 હજારથી પણ વધારે થઈ ગઈ છે.

READ ALSO

Related posts

ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું

Hardik Hingu

Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત

Vishvesh Dave

Indian Railways / ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જ ખોવાઈ જાય ટિકિટ તો તરત જ કરો આ કામ, મુસાફરી ન કરવા પર મળશે રિફંડ!

Vishvesh Dave
GSTV