USA-રશિયાની બેઠક બાદ યુક્રેનના રાષ્ટ્રપતિના નિર્ણયથી NATOની ચિંતા વધી, જાણો શું છે નવો વિવાદ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કીએ સાઉદી અરેબિયાનો પોતાનો પ્રવાસ રદ કરી દીધો છે. તેમનું કહેવું છે કે, યુક્રેન વગર થનારી કોઈપણ વાતચીત અસ્વીકાર્ય હશે. તેમણે પ્રવાસ રદનું એલાન એવા સમયે કર્યું છે, જ્યારે રશિયા અને અમેરિકા વચ્ચે સાઉદી અરેબિયાની મધ્યસ્થતામાં યુદ્ધવિરામ માટેની બેઠક યોજાઈ છે. વોલોદીમીર ઝેલેંસ્કીએ કહ્યું કે, તેઓ 10 માર્ચ સુધી પોતાનો પ્રવાસ રદ કરી રહ્યા છે.
ઝેલેંસ્કી અને તેમના યુરોપિય સહયોગીઓની ચિંતાને વધારી દીધી
યુક્રેન અને તેના સાથીઓની ચિંતાઓ ફરીથી વધી રહી છે, જ્યારે અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા ટૈમી બ્રૂસે જણાવ્યું કે, અમેરિકા અને રશિયા રિયાદમાં થયેલી બેઠકમાં યુદ્ધ સમાપત કરવાના રસ્તાઓ પર કામ કરવા માટે હાઈ લેવલ ટીમની નિમણૂંક પર સહમત થયા છે. યુક્રેનની ગેરહાજરીએ વોલોદીમીર ઝેલેંસ્કી અને તેમના યુરોપિય સહયોગીઓની ચિંતાને વધારી દીધી છે.
વોલોદીમીર ઝેલેંસ્કીએ કહ્યું કે, "યુદ્ધ સમાપ્ત કરવાનો કોઈ પણ નિર્ણય યુક્રેનની ભાગીદારી વગર નહીં થઈ શકે. તેમણે એ પણ કહ્યું કે, અમેરિકા અને કેટલાક યુરોપિયન દેશોના નાટો સભ્ય બનાવવા પર અસહમતિ રશિયાના ઇરાદા સાથે મેળ ખાય છે. તેમના અનુસાર, કોઈ પણ પક્ષ યુદ્ધના મેદાનમાં વિજયી ન બની શકે, અને એજ કારણ છે કે, વાતચીત અને સહયોગની જરૂર છે."
UAEના પ્રવાસે ઝેલેંસ્કી
ઝેલેંસ્કી 16 ફેબ્રુઆરીએ મોડી સાંજે સંયુક્ત અરબ અમીરાત પહોંચ્યા હતા. જ્યાં તેમનો ઉદ્દેશ્ય ક્ષેત્રિય આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવાનું હતું. સાઉદી અરેબિયાની યાત્રા સ્થગિત રાખવામાં આવી હોવા છતાં, તેમણે આ ક્ષેત્રમાં વ્યાપારિક બાબતો પર ચર્ચા કરવાની યોજના બનાવી છે.
રશિયા-અમેરિકાની બેઠક પર ઝેલેંસ્કીનું વલણ
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ સ્પષ્ટ કર્યું કે, તેમણે અમેરિકા-રશિયા વાતચીતમાં ભાગ લેવાનો ઇરાદો નથી કર્યો, જ્યાં સુધી તેઓ પોતાના યુરોપિય સહયોગીઓની સાથે ચર્ચા ન કરી લઈએ. તેમણે મ્યૂનિખ સંમેલન દરમિયાન કહ્યું હતું કે, 'અમારી પાસે કોઈ દસ્તાવેજ નથી, કોઈ નિમંત્રણ નથી, અને મારા માટે આ ચોંકાવનારું છે કે હું આ મામલે વાત કરું, જો પહેલા અમારા અને અમારા રણનીતિક સહયોગીઓ વચ્ચે કોઈ સોદો નથી થયો.'

